અમદાવાદ પોલીસ કમિશ્નરનું નવરાત્રિને લઈ જાહેરનામું

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ગરબાનું આયોજન વચ્ચે અમદાવાદ પોલીસનું જાહેરનામું, નવરાત્રીમાં રાતના ૧૨:૦૦ વાગ્યા સુધી જ લાઉડ સ્પીકરને મંજૂરી.

નવરાત્રીને લઈ અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, ગરબા રસિકો માટે નવરાત્રી પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ પોલીસના જાહેરનામા મુજબ હવે નવરાત્રીમાં રાત્રે ૧૨:૦૦ વાગ્યા બાદ લાઉડ સ્પીકડ વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ જાહેરનામું નવરાત્રીના પ્રથમ નોરતાંથી લઈ દશેરા સુધી લાગુ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *