ચિફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની આગેવાની વાળી ૫ જજોની બંધારણીય બેંચ સમલૈંગિક લગ્નની માંગ પર સુનાવણી કરશે. મંગળવારે હવે આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા જઈ રહી છે.
સમલૈંગિક લગ્નને કાયદાકીય દરજ્જો આપવાની માંગ વાળી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે નિર્ણય આપશે. ૧૧ મેએ કોર્ટની ૧૦ દિવસની સુનાવણી બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.
સુનાવણીમાં અરજદારે ભારે આપ્યો છે કે તેમના લગ્નને કાયદાકીય માન્યતા મળે. જ્યારે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તે લગ્નના દરજ્જો આપ્યા વગર તે સમલૈંગિક યુગલને અમુક અધિકાર આપવા પર વિચાર કરી રહી છે.
સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનારમાં ગે કપલ સુપ્રિય ચક્રવર્તી અને અભય ડાંગ, પાર્થ ફિરોજ મેહરોત્રા અને ઉદય રાજ આનંદના ઉપરાંત ઘણા લોકો શામેલ છે. ૨૦ થી વધારે અરજદારોમાં મોટાભાગના સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાની માંગ કરી રહ્યા છે. અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં ધાર્મિક અને આંતર જાતીય વિવાહને સંરક્ષણ મળ્યું છે. પરંતુ સમલૈંગિક યુગલોની સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે.