વર્લ્ડ કપ ૨૯૨૩: ટીમ ઈન્ડિયાને આંચકો

હાર્દિક પંડ્યા પગની ઈજાના કારણે વર્લ્ડ કપ ૨૦૨૩ માંથી બહાર થઈ ગયો છે. પંડ્યા બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો.

વર્લ્ડ કપ ૨૦૨૩ માં શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. તે પગની ઘૂંટીની ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. તેમની બદલીની પણ જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં યુવા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે રવિવારે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે.

૧૯ ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશ સામેની મેચમાં બોલિંગ કરતી વખતે હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો. તેણે ઓવરની વચ્ચે જ મેદાન છોડવું પડ્યું. આ પછી તે મેદાનમાં પાછો ફર્યો નહોતો. ઈજામાંથી બહાર આવવા માટે તે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં પુનર્વસન હેઠળ હતો.

ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ પહેલા હાર્દિક પંડ્યાની ફિટનેસ અંગે અપડેટ સામે આવ્યું હતું. સમાચાર એજન્સી પીટીઆઈએ બીસીસીઆઈના એક સૂત્રને ટાંકીને માહિતી આપી હતી કે પંડ્યા ૧૨ નવેમ્બર એટલે કે દિવાળીના રોજ બેંગલુરુમાં નેધરલેન્ડ સામેની મેચ રમી શકે છે. તે શ્રીલંકા અને સાઉથ આફ્રિકા સામે મેચ રમશે નહીં. હવે માહિતી આવી છે કે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

હાર્દિક પંડ્યાના વર્લ્ડ કપમાંથી બહાર થવાનો અર્થ એ છે કે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ૧૧ માં કોઈ ચેડાં નહીં થાય. સૂર્યકુમાર યાદવ નંબર-૬ પર રમતા જોવા મળશે. પંડ્યાના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાની વાત કરીએ તો તેણે ૧૭ મેચમાં ૨૯ વિકેટ ઝડપી છે. તે વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે ૩ મેચની ODI સિરીઝ રમ્યો હતો.

વર્લ્ડ કપની ઇવેન્ટ ટેકનિકલ કમિટીએ શનિવારે ભારતના રિપ્લેસમેન્ટ ખેલાડીઓને મંજૂરી આપી હતી. આવી સ્થિતિમાં પ્રસિદ્ધ કૃષ્ણ રવિવારે દક્ષિણ આફ્રિકા સામે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. જોકે, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહની હાજરીને કારણે પ્રસિદ્ધ કૃષ્ણને કદાચ જ વર્લ્ડ કપમાં રમવાની તક મળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *