જમ્મુ કાશ્મીર એન્કાઉન્ટર: રાજૌરીમાં બે કેપ્ટન સહિત ચાર જવાન શહીદ

જમ્મુ કાશ્મીર એન્કાઉન્ટર: અધિકારીઓએ આપેલી માહિતી મુજબ સુરક્ષાદળોએ બે આતંકીઓને ઘેરી લીધા છે અને ભીષણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરના રાજૌરીથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આતંકીઓ સાથે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના બે કેપ્ટન, એક મેજર અને એક હવાલદાર શહીદ થયા છે. સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ આ એનકાઉન્ટર ધર્મશાલના બાજીમલ વિસ્તારમાં ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન શરૂ થયું હતું.

અધિકારીઓએ આપેલી માહિતી મુજબ સુરક્ષાદળોએ બે આતંકીઓને ઘેરી લીધા છે અને ભીષણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે આતંકીઓને મારવા માટે વધુ સૈનિકો મોકલવામાં આવ્યા છે.

સ્થાનિકોએ પીટીઆઈને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સક્રિય આતંકવાદીઓને શોધી કાઢવા માટે રવિવારથી કોર્ડન અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એક ગામવાસીએ કહ્યું કે આ અભિયાનને કારણે તેમને ઘરની અંદર જ રહેવાનું અને બહાર ન જવાનું કહેવામાં આવ્યું હતું. આ કારણે બાળકો આજે શાળાએ ગયા ન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *