કેન્દ્રીય આરોગ્ય મંત્રીની કોવિડની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક, ગભરાવવાની જરૂર નહીં સતર્ક રહેવાની જરૂર

૨૪ કલાકમાં દેશમાં ૩૪૧ કોરોનાના કેસ સામે આવ્યા છે.

દેશમાં કોરોનાનો સબ વેરિએન્ટ જે.એન.૧ ને લઇને આરોગ્ય સુવિધાઓ અને સેવાઓની તૈયારીઓ પર જાણકારી મેળવવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે રાજ્યના તમામ સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, આપણે સતર્ક રહેવાની જરૂર છે. પણ ગભરાવવાની જરૂર નથી. દર ૩ મહિને તમામ હોસ્પિટલ મોકડ્રિલ કરે. આ ઉપરાંત તેમણે રાજ્યોને કેન્દ્ર તરફથી સંપૂર્ણ સહાય માટે આશ્વાસન આપ્યું હતું. ઈન્ફ્લુએન્ઝા જેવી બિમારી અને શ્વસન સંબંધિત બિમારીમાં વૃદ્ધિ થતા આ બેઠક યોજાઈ છે.

મહત્વનું છે કે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૪૧ કોરોનાના કેસ સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર તેના ઉકેલ માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. ઉલ્લેખયનીય છે કે, અગાઉ સ્વાસ્થ્યમંત્રી દ્વારા વધુમાં વધુ  સંખ્યામાં RTPCR ટેસ્ટ કરીને  પોઝિટીવ સેમ્પલને જિનોમ સિક્વેન્સિંગ માટે લેબોરેટરીમાં મોકલવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયો સહિત અન્ય વ્યવસ્થાઓ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

કોવિડ-૧૯ એડવાઈઝરી

રાજ્યોએ તમામ આરોગ્ય સુવિધાઓમાં જિલ્લાવાર ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (આઈએલઆઈ) અને ગંભીર તીવ્ર શ્વસન બિમારી (એસએઆરઆઈ) કેસોની દેખરેખ રાખવા અને રિપોર્ટ કરવો. જેમાં ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ (આઇએચઆઇપી) પોર્ટલનો સમાવેશ થાય છે, જેથી કેસોના પ્રારંભિક વધતા વલણને શોધી શકાય.

રાજ્યોને કોવિડ -૧૯ પરીક્ષણ માર્ગદર્શિકા મુજબ તમામ જિલ્લાઓમાં પર્યાપ્ત પરીક્ષણની ખાતરી કરવા અને RTPCR અને એન્ટિજેન પરીક્ષણોમાં ભલામણ કરવામાં આવેલા હિસ્સાને જાળવવાની સલાહ.

રાજ્યોને RTPCR પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવા અને જીનોમ સિક્વન્સિંગ માટે સકારાત્મક નમૂનાઓ ભારતીય સાર્સ કોવ -૨ જિનોમિક્સ કન્સોર્ટિયમ (આઇએનએસએસીઓજી) પ્રયોગશાળાઓમાં મોકલવા.  જેથી દેશમાં નવા વેરિએન્ટ્સ, જો કોઈ હોય તો, સમયસર શોધી શકાય.

રાજ્યોએ પણ કોવિડ -૧૯ ના સંચાલનમાં તેમનો સતત ટેકો મેળવવા માટે સમુદાય જાગૃતિને પ્રોત્સાહન આપવું જોઈએ, જેમાં શ્વસન સ્વચ્છતાના પાલનનો પણ સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *