આજનો ઇતિહાસ ૨૫ ડિસેમ્બર

આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ખ્રિસ્તી ધર્મના પ્રભુ ઇસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો અને તેની યાદીમાં સમગ્ર દુનિયામાં નાતાલના તહેવાર એટલે કે ક્રિસમસ ફ્રેસ્ટિવલની ઉજવણી કરવામાં આવે છે.

આજે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્નથી સમ્માનિત અટલ બિહારી વાજપેયીની પણ જન્મજયંતિ, જેને સુશાસન દિવસ તરીકે ઉજવાય છે.

પ્રભુ ઇસુનો જન્મ અને તેની ઉજવણીનો દિવસ એટલે ‘ક્રિસમસ’

નાતાલ એ ખિસ્તી ધર્મનો મુખ્ય ધાર્મિક તહેવાર છે અને તે પ્રભુ ઇસુના જન્મની યાદીમાં દર વર્ષે ૨૫ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આજેના દિવસથી પશ્ચિમના મોટાભાગના દેશોમાં ક્રિસમસ અને ન્યુ યરનો ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. આજની તારીખે ઈસુ ખ્રિસ્તનો જન્મ મધર મેરી અને પતિ જોસેફના ઘરે બેથલહેમમાં થયો હતો. આ દિવસે ખ્રિસ્તી ધર્મના લોકો ચર્ચમાં જઇને પ્રભુને પ્રાર્થના કરે છે. નાતાલના તહેવારમાં ક્રિસમસ ટ્રીનું વિશે મહત્વ છે. બાળકો માટે આ દિવસ બહુ જ વિશેષ હોય છે કારણ કે લાલ કલરના કપડાં પહેરીને સાન્તાક્લોઝ બનીને આવનાર એક વ્યક્તિ તેમને ભેટ-સોગાંદ આપે છે.

નાતાલ એટલે કે અંગ્રેજી ભાષામાં ક્રિસમસ નામનો શબ્દ “ક્રાઇસ્ટ્સ માસ” નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. આ શબ્દ મધ્યકાલિન અંગ્રેજી ભાષાના શબ્દ ક્રિસ્ટેમાસે અને પૌરાણિક અંગ્રેજી ભાષાના શબ્દ ક્રાઇસ્ટેસ માએસે ઉપરથી ઉતરી આવ્યો છે. આ શબ્દસમૂહનો પ્રથમ વખત પ્રયોગ ૧૦૩૮ માં કરવામાં આવ્યો હતો.[૧૦] “ક્રાઇસ્ટેસ” શબ્દ ગ્રીક ભાષાના શબ્દ ક્રિસ્ટોસ ઉપરથી અસ્તિત્વમાં આવ્યો છે જ્યારે “માએસે” શબ્દ લેટિન ભાષાના મિસા (પવિત્ર સમૂહ) નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે.

ગ્રીક ભાષામાં ઈશુ ખ્રિસ્તના નામ ક્રાઇસ્ટના પ્રથમ અક્ષર તરીકે અંગ્રેજી મૂળાક્ષર X (ચિ)નો ઉપયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે રોમન ભાષામાં અંગ્રેજી મૂળાક્ષર X નો ઉપયોગ ૧૬ મી સદીના મધ્ય ભાગથી ક્રાઇસ્ટ એટલે કે ઈશુ ખ્રિસ્તના નામનાં ટૂંકા સ્વરૂપ તરીકે ઉપયોગમાં લેવાની શરૂઆત કરવામાં આવી હતી.[૧૧] તેના કારણે ઘણી વખત ક્રિસમસનાં ટૂંકા સ્વરૂપ માટે અંગ્રેજી ભાષામાં Xmas શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.

અટલ બિહારી વાજપેયીનો જન્મદિન – ભારતીય રાજકારણના અજાતશુત્ર

આજે ભારતના ૧૦ માં વડાપ્રધાન અને લોકપ્રિય નેતા અટલ બિહારી વાજપેયીનો જન્મ દિવસ છે. તેનો જન્મ વર્ષ ૧૯૨૪ માં ૨૫ ડિસેમ્બરના રોજ ગ્વાલિયરમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણ બિહારી અને માતાનું નામ કૃષ્ણાદેવી હતું. તેમણે ગ્લાલિયરની તે સમયની વિક્યોરીયા કોલેજ જે હાલ લક્ષ્મીબાઇ કોલેજ તરીકે ઓળખાય છે તેમાં હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી મેળવી હતી.

ત્યારબાદ કાનપુરની ડીએવી કોલેજમાંથી પોલિટિકલ સાયન્સ વિષયમાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો હતો અને ત્યાં જ વકીલાતનો પણ અભ્યાસ કર્યો હતો. શરૂઆતના સમયમાં તેમણે પત્રકાર તરીકે વિવિધ સમાચાર પત્રો – પાંચજન્ય, ક્રાઇસિસ ટાઇમ્સ, સ્વદેશ, વીર અર્જૂન વગેરેમાં કામ કર્યુ હતુ અને તેઓ પત્રકાર અને કવિ તરીકે લોકપ્રિય થયા હતા. તેમને ભારતના રાજકારણના અજાત શત્રુ રાજકારણી તરીકે પણ ઓળખવામાં આવતા હતા.

તેમણે પહેલીવાર વર્ષ ૧૯૫૭ માં ઉત્તરપ્રદેશની બલરામપુર બેઠક પર ભારતીય જનસંઘ પક્ષ તરફથી લોકસભાની ચૂંટણી લડી અને ૧૦ મતોની સરસાઇથી જીત હાંસલ કરી હતી. સંસદમાં તેમણે કાશ્મીર મુદ્દે પોતાના વિચારો પ્રગટ કર્યા અને સૌએ ધ્યાનથી સાંભળ્યુ હતા. તેઓ ૨૬ માર્ચ, ૧૯૭૭ થી ૨૮ જુલાઇ, ૧૯૭૯ સુધી ભારતના વિદેશ મંત્રી તરીકે પણ રહ્યા હતા, તે સમયે મોરારજી દેસાઇ ભારતના વડાપ્રધાન હતા.

તેઓ ત્રણ વખત ભારતના વડાપ્રધાન બન્યા હતા. પહેલીવાર તેમણે વર્ષ ૧૯૯૬ માં ૨૧ મેના રોજ દેશના વડાપ્રધાનના શપથ લીધા હતા પણ બહુમતી સાબિત ન કરી શકતા તેઓ માત્ર ૧૩ માટે જ પીએમ તરીકે કહી શક્યા હતા. ત્યારબાદ એપ્રિલ ૧૯૯૯ થી ઓક્ટોબર ૧૯૯૯ સુધી અટલ બિહાર વાજયેપી કાર્યકારી વડાપ્રધાન તરીકે રહ્યા હતા. વર્ષ ૧૯૯૯ ની લોકસભા ચૂંટણીમાં NDAને પૂર્ણ બહુમતી મળી અને તેઓ ત્રીજા વાર ભારતના વડાપ્રધાન બન્યા હતા.

અટલ બિહારી વાજયેપીના કાર્યકાળમાં જ કારગીલ યુદ્ધ થયુ હતુ જેને લઇને તેમણે વિરોધ પક્ષની નિંદાનો પણ સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત તેમણે જ ૧૧ મે ૧૯૯૮ ના રોજ પોખરણમાં પાંચ પરમાણુ પરીક્ષણ કરીને સમગ્ર વિશ્વને ભારતની પરણાણું શક્તિનો પરચો કરાવ્યો હતો. જો કે વર્ષ ૨૦૦૪ ની લોકસભા ચૂંટણીમાં એનડીએની હાર થઇ અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી.

તેમને વર્ષ ૧૯૯૨ માં પદ્મવિભૂષણ અને વર્ષ ૨૦૧૫ માં ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેમનું ૯૩ વર્ષની ઉંમરે ૧૬ ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ દિલ્હીમાં નિધન થયુ હતુ.

૨૫ ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 2012 – દક્ષિણ કઝાકિસ્તાનના શિપકેન્ટ શહેરમાં એન્ટોનોવ કંપનીનું AN-72 વિમાન ક્રેશ થયું હતુ, જેમાં 27 લોકોના મોત થયા હતા.
  • 2007 – કેનેડિયન પ્રખ્યાત જોઝ પિયાનોવાદક અને સંગીતકાર ઓસ્કાર પીટરસનનું અવસાન થયું હતુ.
  • 2005 – મોરેશિયસમાં 400 વર્ષ પહેલા લુપ્ત થયેલા ‘ડોડો’ પક્ષીના બે હજાર વર્ષ જૂના અવશેષો મળ્યા હતા.
  • 2002 – ચીન અને બાંગ્લાદેશ વચ્ચે સંરક્ષણ કરાર થયા હતા.
  • 1998 – રશિયા અને બેલારુસ દ્વારા સંયુક્ત સંઘ બનાવવા માટેના કરાર પર હસ્તાક્ષર થયા હતા.
  • 1991 – રાષ્ટ્રપતિ મિખાઇલ એસ. ગોર્બાચેવના રાજીનામા સાથે, સોવિયત સંઘનું વિભાજન અને તેનું અસ્તિત્વ સમાપ્ત થયું.
  • 1977 – હોલીવુડના પ્રખ્યાત ફિલ્મ અભિનેતા ચાર્લી ચેપ્લિનનું નિધન.
  • 1974 – રોમ જઈ રહેલા એર ઈન્ડિયાના બોઈંગ-747 વિમાન હાઈજેક થયુ હતુ.
  • 1962 – સોવિયત સંઘે નોવાયા ઝેમલ્યા ક્ષેત્રમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતુ.
  • 1947 – પાકિસ્તાની સેનાએ ઝાંગઢ પર કબજો કર્યો હતો.
  • 1946 – તાઇવાનમાં બંધારણ અપનાવવામાં આવ્યો હતો.
  • 1924 – કાનપુરમાં પ્રથમ અખિલ ભારતીય સામ્યવાદી પરિષદ યોજાઈ હતી.
  • 1892 – સ્વામી વિવેકાનંદે કન્યાકુમારીમાં સમુદ્રની મધ્યમાં આવેલા ખડક પર ત્રણ દિવસ ધ્યાન કર્યું હતુ.
  • 1771 – મુઘલ શાસક શાહઆલમ – દ્વિતીય મરાઠાઓના રક્ષણ હેઠળ દિલ્હીની ગાદી પર બેઠા હતા.
  • 1763 – ભરતપુરના મહારાજા સૂરજમલની હત્યા કરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *