કોરોનાના નવા વેરિઅન્ટને લઇ ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

આરોગ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના જેએન.૧ વેરિયન્ટના તમામ કેસોનું જીનોમ સિક્વન્સ કરાઇ રહ્યું છે એટલું જ નહીં નવા વેરિયન્ટના ૩૬ માંથી ૨૨ દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ જેએન.૧ ના સંખ્યાબંધ કેસ સામે આવતાં લોકોમાં ચિંતા ફેલાઇ છે. ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નવા વેરિયન્ટને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે. આરોગ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના જેએન.૧ વેરિયન્ટના તમામ કેસોનું જીનોમ સિક્વન્સ કરાઇ રહ્યું છે.

મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જણાવ્યું કે ૪,૦૦૦ કેસ આવે ત્યાં સુધી જીનોમ સિક્વન્સની તપાસ કરવામાં આવે છે. એટલું જ નહીં નવા વેરિયન્ટના ૩૬ માંથી ૨૨ દર્દીઓ સાજા થયા છે. વધુમાં ઋષિકેશ પટેલે જણાવ્યું કે ૧૪ કેસ હાલ આઇસોલેશનમાં છે. દેશમાં જેએન.૧ના કેસો સૌથી વધુ ગુજરાતમાં સામે આવ્યા છે તેવામાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં પોઝેટિવ રેટલ ખૂબ જ નીચો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *