નોર્થ ઈસ્ટમાં ઉગ્રવાદ ખતમ

મોદી સરકારની મોટી સફળતા, ઉલ્ફાએ હથિયાર હેઠા મુકી શાંતિનો માર્ગ અપનાવ્યો.

ઉલ્ફા એટલે કે યૂનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામના એક ધડાના ૨૦ નેતા છેલ્લા એક અઠવાડીયાથી દિલ્હીમાં હતા. ભારત સરકાર આસામ સરકારના ટોપ અધિકારી આ કરારના ડ્રાફ પર મનાવી રહ્યા હતા.

પૂર્વોત્તરમાં શાંતિ પ્રયાસની દિશામાં શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભારત સરકારના ઐતિહાસિક કરાર થયા. ૪૦ વર્ષમાં પહેલી વાર સશસ્ત્ર ઉગ્રવાદી સંગઠન ઉલ્ફાએ ભારત અને આસામ સરકાર સાથે શાંતિ સમાધાન કરાર પર હસ્તાક્ષર કર્યા. શાંતિ કરાર પર હસ્તાક્ષર દરમ્યાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્મા અને ઉલ્ફાના અરબિંદ રાજખોવા તરફથી જૂથના એક ડઝનથી વધારે ટોચના નેતા હાજર રહ્યા હતા.

ઉલ્ફા એટલે કે યૂનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામના એક ધડાના ૨૦ નેતા છેલ્લા એક અઠવાડીયાથી દિલ્હીમાં હતા. ભારત સરકાર આસામ સરકારના ટોપ અધિકારી આ કરારના ડ્રાફ પર મનાવી રહ્યા હતા. ઉલ્ફાનું આ મોટુ જૂથ અનૂપ ચેતિયા જૂથનું છે. જ્યારે બીજુ જૂથ પરેશ બરુઆની આગેવાનીમાં હજુ પણ એક્ટિવ છે. આ કરાર બાદ પૂર્વોત્તરમાં ઉગ્રવાદ સમાપ્તિની દિશામાં ભારત સરકારનું બહું મોટી સફળતા હશે.

હકીકતમાં જોઈએ તો, ૨૦૧૧ થી ઉલ્ફાના આ જુથે હથિયાર નથી ઉઠાવ્યા. પણ આ પહેલી વાર છે જ્યારે રીતસરના એક શાંતિ કરારનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને બંને પક્ષના લીડર્સે તેના પર હસ્તાક્ષર કર્યા છે.

ઉલ્ફા અને ભારત સરકાર વચ્ચે આજે થયેલા કરારની મહત્વની વાતો

  • આસામના લોકોની સાંસ્કૃતિક વિરાસત જાળવી રાખશે
  • આસામના લોકો માટે સારામાં સારા રોજગારના સાધનો રાજ્યમાં વસાવશે
  • તેમના કેડરને પુરતા પ્રમાણમાં રોજગારના અવસર સરકાર ઉપલબ્ધ કરાવશે
  • ઉલ્ફાના સભ્યો જેમણે સશસ્ત્ર આંદોલનનો રસ્તો છોડી દીધો છે, તેમને મુખ્ય
  • ધારામાં લાવવા માટે ભારત સરકાર શક્ય દરેક પ્રયાસ કરશે.

પૂર્વોત્તરમાં સશસ્ત્ર ઉગ્રવાદી સંગઠન સાથે ભારત સરકારનો આ વર્ષમાં ચોથો મોટો કરાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *