અમદાવાદ શહેરમાં નવરંગપુરા, જોધપુર ના લોકો …, સાચવજો!

૨૪ કલાકમાં કોરોનાના નવા ૭ કેસની અમદાવાદમાં એન્ટ્રી…

અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં ૭ કેસ નોંધાતા શહેરીજનોમાં ફરી ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે નવા નોંધાયેલા કેસમાં ૧ પુરૂષ અને ૬ મહિલા દર્દીઓ નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં કોરોનાનાં કેસમાં વધારો થતા શહેરજનોમાં ફરી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં વધુ ૭ કેસ નોંધાવા પામ્યા હતા. જેમાં ૧ પુરૂષ અને ૬ મહિલા દર્દીઓ નોંધાયા હતા. જ્યારે ૫૫ ને હોમ આઈસોલેશન કર્યા હતા. હાલ શહેરમાં કોરોનાનાં ૫૭ એક્ટિવ કેસ નોંધાવા પામ્યા છે. ૮ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે ૨ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છો.

૪ દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સામે આવી

૨૪ કલાકમાં કોરોનાનાં ૭ કેસ નોંધાયા છે. નવરંગપુરા, સરખેજ,  ભાઈપુરા, હાટકેશ્વર, જોધપુરમાં કેસ નોંધાયા હતા.  જેમાંથી ૪ લોકોની ટ્રાવેલીંગ હિસ્ટ્રી સામે આવવા પામી છે. જેમાં જૂનાગઢ, ગોવા, કેનેડા અને અંદમાન નિકોબારની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવવા પામી છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતીનાં ભાગ રૂપે માસ્ક પહેરવાની, ભીડભાડવાળી જગ્યાએ ન જવાની સલાહ પણ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *