આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજની તારીખ ૯ જાન્યુઆરી, ૧૯૧૫ ના રોજ મહાત્મા દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા હતા અને ભારતની સ્વતંત્રતા માટે પ્રેરણા બન્યા હતા. તેની યાદીમાં વર્ષ ૨૦૦૩ થી પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી છે.
કોંગ્રેસ પાર્ટીના નેતા, ભારતના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી રહેલા માધવસિંહ સોલંકીની પુણ્યતિથિ પણ આજે છે. તેમનું આજની તારીખે વર્ષ ૨૦૨૧ માં અવસાન થયુ હતુ.
પ્રસિદ્ધ પર્યાવરણવિદ અને ચિપકો આંદોલનના પ્રમુખ નેતા સુંદરલાલ બહગુણા, હિન્દી ફિલ્મોના પ્લેબેક સિંગર મહેન્દ્ર કપૂર, અભિનેતા ફરહાન અખ્તર, પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખ તેમજ બાયોકેમિસ્ટ ફિઝિયોલોજીના ક્ષેત્રમાં મેડિસિનનું નોબેલ પારિતોષિકથી સમ્માનિત ભારતીય વૈજ્ઞાનિક હરગોવિંદ ખુરાનાનો જન્મદિવસ છે.
મહાત્મ ગાંધીજીનું આફ્રિકાથી પરત આગમન અને પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી
૯ જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ ૨૦૦૩ માં શરૂ કરવામાં આવી છે. પ્રવાસી ભારતીય દિવસનો સંબંધ મહાત્મા ગાંધીજી સાથે છે. ૯ જાન્યુઆરી ૧૯૧૫ ને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ દિવસે જ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા અને છેવટે વિશ્વભરના ડાયસ્પોરા અને વસાહતી શાસન હેઠળના લોકો અને ભારતના સફળ સ્વતંત્રતા સંગ્રામ માટે પ્રેરણારૂપ બન્યા હતા. આ દિવસ દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલન તરીકે ઉજવવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસ એ વિદેશી ભારતીય બાબતોના મંત્રાલયનો મુખ્ય કાર્યક્રમ છે. ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો ડાયસ્પોરા ધરાવે છે. વિદેશી ભારતીય સમુદાય એટલે કે વિદેશમાં વસતા ભારતીયોની સંખ્યા ૨.૫ કરોડથી વધારે હોવાનો અંદાજ છે. જે વિશ્વના દરેક મોટા ક્ષેત્રમાં ફેલાયેલા છે અને કોઈ એક ભારતીય ડાયસ્પોરા વિશે વાત કરી શકાતી નથી. વિદેશી ભારતીય સમુદાય એ સ્થળાંતરનું પરિણામ છે જે સેંકડો વર્ષોથી થઇ રહ્યું છે અને વેપારવાદ, સંસ્થાનવાદ અને વૈશ્વિકીકરણ જેવા વિવિધ પરિબળોથી પ્રેરિત છે.
૯ જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2020 – રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ KYCના નિયમોમાં સુધારો કર્યો. સુધારેલા નવા માપદંડો હેઠળ નાણાંકીય સંસ્થાઓને વીડિયો-આધારિત ગ્રાહક ઓળખ પ્રક્રિયાનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. આ પગલું બેંકો અને ધિરાણ સંસ્થાઓને દૂર બેઠેલા ગ્રાહકોનું વેરિફિકેશન કરવામાં મદદ કરશે.
- સૌથી પહેલા HDFC બેંકે myApps એપ્લિકેશન લોન્ચ કરી. આ એપનો હેતુ ભારતમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે.
- વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે યુરોપિયન યુનિયન (EU) ના સભ્યોને ચોખાની નિકાસ માટેની નિકાસ નીતિમાં સુધારો કર્યો છે.
- અરુણાચલ પ્રદેશ વિધાનસભાએ નવો લોગો અપનાવ્યો.
- 2012 – લિયોનેલ મેસીએ સતત બીજા વર્ષે ફિફાનો બેલોન ડી’ઓર (શ્રેષ્ઠ ફૂટબોલર) એવોર્ડ જીત્યો.
- 2011 – ઈરાન એરની ફ્લાઇટ નંબર 277 ક્રેશ થઈ, 77 લોકોના મોત.
- 2010 – સીબીઆઈએ રુચિકા કેસની તપાસ કરવાની હરિયાણા સરકારની વિનંતી સ્વીકારી.
- 2009 – લોકસભાના સ્પીકર સોમનાથ ચેટરજીને જાહેર ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય કરવા બદલ બેબી જાન ફાઉન્ડેશન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા.
- 2008 – હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી ‘પ્રેમ કુમાર ધૂમલે’ તેમની કેબિનેટમાં નવ મંત્રીઓને સામેલ કર્યા.
- શ્રીલંકાની સેનાએ એલટીટીઈનો વિસ્તાર કબજે કર્યો.
- 2007 – જાપાનમાં પ્રથમ રાજ્ય મંત્રાલયની રચના કરવામાં આવી.
- 2005 – અરાફાતને ‘પેલેસ્ટિનિયન લિબરેશન ઓર્ગેનાઈઝેશન’ના ટોચના પદ પરથી હટાવવા માટે ચૂંટણી.
- પી.એલ.ઓ પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસનો વિજય.
- 2003 – પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની શરૂઆત.