તા-૨૨/૦૧/૨૪ના શુભ દિવસે ભગવાન શ્રીરામના બાળસ્વરૂપની શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા ખાતે બની રહેલા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવનાર છે ,આ પ્રસંગે શ્રીસરખેજ કેળવણી મંડળ પ્રાથમિક શાળા એ ઉત્સાહભેર ઉજવાયો
આ શુભ પ્રસંગને ધ્યાનમાં રાખી શ્રીસરખેજ કેળવણી મંડળ પ્રાથમિક શાળા,સરખેજ ખાતે તા.૨૦/૦૧/૨૪ને શનિવારના રોજ કાયક્રમોનું આયોજન કરવામ આવ્યું હતું. જેમાં દીપોત્સવ ,વેશભુષા અને રામાયણના પ્રસંગને અનુરૂપ ક્વીઝ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.