આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજના દિવસે વર્ષ ૧૮૯૭ ના રોજ ભારતના મહાન સ્વતંત્ર સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો જન્મ થયો હતો અને આ દિવસને ભારતમાં ‘પરાક્રમ દિવસ’તરીકે ઉજવાય છે.
આજના દિવસ જ વર્ષ ૧૯૭૭ જનતા પાર્ટીની રચના થઇ હતી.
શિવસેનાના સ્થાપક બાલ સાહેબ ઠાકરેની પણ આજે જન્મજયંત છે.
સ્વ. ઇન્દિરા ગાંધી વર્ષ ૧૯૬૬ માં ભારતના વડાપ્રધાન બન્યા હતા.
૨૩ જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ
2021 – ભારતમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા દર વર્ષ 23 જાન્યુઆરીના રોજ ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. આ દિવસ ‘આઝાર હિંદ ફોજ’ના સ્થાપક અને મહાન સ્વતંત્ર સેનાની સુભાષ ચંદ્ર બોઝનો જન્મજયંતિ છે.
2020 – ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) એ એક મહત્વપૂર્ણ આદેશમાં મ્યાનમારને રોહિંગ્યા વસ્તીને સુરક્ષા આપવા જણાવ્યું હતું. – બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયે બ્રિટિશ સરકારના બ્રેક્ઝિટ કાયદાને મંજૂરી આપી દીધી છે. –
ગૃહ મંત્રાલયે ‘સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર’ 2020 ના વિજેતાઓની જાહેરાત કરી. ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંકમાં ભારત 80માં ક્રમે આવી ગયુ જ્યારે વર્ષ 2018માં તે 78માં સ્થાને હતું. ડેનમાર્ક અને ન્યુઝીલેન્ડ સંયુક્ત રીતે પ્રથમ ક્રમે હતા.
2009 – ફિલ્મ અને ટેલિવિઝન કાર્યક્રમોમાં ધૂમ્રપાનના દ્રશ્યો પરનો પ્રતિબંધ સમાપ્ત થયો.
2008- ખાડી દેશમાં હાજરી વધારવા માટે બેંક ઓફ બરોડા તેની સંપૂર્ણ કામગીરી બહેરીનમાં શરૂ કરવાની યોજના બનાવી. – વિશ્વની મહાસત્તાઓ ઈરાન વિરુદ્ધ ત્રીજા પ્રતિબંધો લાદવાના પ્રસ્તાવ પર સહમત થઇ હતી.
2007 – ભારત અને રશિયા વચ્ચે મધ્યમ કદના બહુહેતુક પરિવહન વિમાનના મેન્યુફેક્ચરિંગ માટે એક ઘોષણા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.