UPA સરકારનાં આર્થિક ગેરવહીવટને હાઈલાઈટ કરતો શ્વેતપત્ર

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં UPA શાસનનાં ૧૦ વર્ષોમાં આર્થિક ગેરવહીવટને હાઈલાઈટ કરતી અર્થવ્યવસ્થા પર શ્વેત પત્ર રજૂ કર્યો.

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે લોકસભામાં ભારતીય અર્થવ્યવસ્થા પર ‘શ્વેત પત્ર’ રજૂ કર્યું. નાણામંત્રીએ પોતાના વચગાળાનાં બજેટનાં ભાષણ દરમિયાન ઘોષણા કરી હતી કે સરકાર ૨૦૧૪ સુધી UPA શાસનનાં ૧૦ વર્ષોમાં આર્થિક ગેરવહીવટને હાઈલાઈટ કરતી અર્થવ્યવસ્થા પર એક શ્વેત પત્ર લાવશે.

નિર્મલા સીતારમણે કહ્યું કે,” NDA સરકારે એ વર્ષોનાં સંકટને પાર કરી લીધું છે અને અર્થવ્યવસ્થાને સર્વાંગીણ વિકાસની સાથે-સાથે ઉચ્ચ વિકાસ પથ પર મજબૂતી સાથે મૂકવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે હવે એ જોવાનું છે કે આપણે ૨૦૧૪ સુધી કહ્યાં હતાં અને હવે ક્યાં છીએ.”

શ્વેતપત્રમાં શું-શું લખવામાં આવ્યું?

  • શ્વેતપત્રમાં કહેવામાં આવ્યું છે કે UPA સરકારે દેશનાં આર્થિક ઢાંચાને કમજોર કર્યું છે.
  • UPA કાળમાં રૂપિયામાં ભારે ઘટાડો થયો હતો
  • બેંકિંગ સેક્ટર સંકટમાં હતું
  • વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો હતો
  • મોટું દેવું કરવામાં આવ્યું હતું
  • રાજસ્વનો ખોટો ઉપયોગ થયો હતો

શ્વેતપત્ર અનુસાર ” UPA સરકાર આર્થિક ગતિવિધિઓને સુવિધાજન્ય બનાવવામાં વિફળ રહી. અને એની જગ્યાએ યૂપીએ સરકારે એવી મુશ્કેલીઓ પેદા કરી જેના લીધે અર્થવ્યવસ્થા શાંત થવા લાગી. એ સરકારે વાજયેરીનાં નેતૃત્વવાળી NDA સરકારનાં સુધારાઓનાં વિલંબિત પ્રભાવ અને અનૂકુળ વૈશ્વિક પરિસ્થિતિઓનો લાભ ઊઠાવ્યો. પરિણામ એવું આવ્યું કે ખરાબ ઋણોનો એક પહાડ બની ગયો.  ઉચ્ચ રાજકોષીય નુક્સાન, મોટું ચાલૂ ખાતાનું નુક્સાન અને પાંચ વર્ષો માટે ૨ અંકોની મોંઘવારીની સ્થિતિ સર્જાઈ હતી જેની અસર ભારતીયોનાં પોકેટ પર થઈ અને દેશ ફ્રેઝાઈલ ફાઈવનાં ક્લબમાં સામેલ થઈ ગયું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *