આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો એમ્પ્લોયઇઝ પ્રોવિડન્ટ ફંડ એક્ટ બન્યો હતો. આ કાયદાનો મુખ્ય હેતુ નિવૃત્તિ બાદ કર્મચારીઓને આર્થિક અને સામાજીક સુરક્ષા આપવાનો છે.
વર્ષ ૨૦૦૫ માં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ ત્રણ દિવસની મુલાકાતે ભારત આવ્યા હતા.
ભારતના પ્રખ્યાત દેશભક્ત- ક્રાંતિકારી અને શહીદ ભગત સિંહના કાકા સરદાર અજીત સિંહ તેમજ હિન્દી ફિલ્મોની અભિનેત્રી ભાગ્યશ્રીનો જન્મદિન છે.તો વિતેલા સમયની મશહુર અભિનેત્રી મધુબાલાનું વર્ષ ૧૯૬૯ માં આજના દિવસે વર્ષ અવસાન થયું હતું.
૨૩ ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ
1886 – અમેરિકન રસાયણશાસ્ત્રી અને સંશોધક માર્ટિન હેલે એલ્યુમિનિયમની શોધ કરી.
1940 – રશિયન સેનાએ ગ્રીસ નજીકના લાસી ટાપુ પર કબજો કર્યો.
1952 – ભારતમાં કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈનો કાયદો પસાર કરવામાં આવ્યો.
1970 – ગુયાના દેશ પ્રજાસત્તાક બન્યો અને આજના દિવસને ગુયાનાના રાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો.