પીએમ મોદી હરિયાણા મુલાકાત : લોકસભા ચૂંટણી ૨૯૨૪ પહેલા રાજકીય દુનિયામાં મોટી ચહલ પહલ થઈ રહી છે. ચૂંટણી જંગમાં પીએમ મોદીએ મોરચો સંભાળી લીધો છે. અને વાતાવરણને સકારાત્મક કરવાના પ્રયત્નો પણ કરી રહ્યા છે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક મોચરે લડી રહ્યા છે. પીએમ મોદી ચૂંટણી પહેલા વિકાસ કાર્યોના લાકાર્પણ કરી રહ્યા છે. ત્યારે હરિયાણાના ગુરુગ્રામમાં ખેડકી દૌલા ટોલ પ્લાઝાથી દિલ્હીના મહિપાલપુર તરફ આવતા દ્વારકા એક્સપ્રેસ વેનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે તેનું ઉદ્ઘાટન કરશે.
પીએમ મોદી લગભગ ૧૮-૧૯ કિલોમીટરનો રોડ શો પણ કરશે
પીએમ મોદી હરિયાણા મુલાકાત દરમિયાન આ સાથે પીએમ મોદી લગભગ ૧૮-૧૯ કિલોમીટરનો રોડ શો પણ કરશે, જેને લોકસભા ચૂંટણી પહેલા પાર્ટી માટે સકારાત્મક વાતાવરણ બનાવવાનો પ્રયાસ માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ, PM મોદી સોમવારે બપોરે લગભગ ૧૨ વાગ્યે દેશભરમાં ફેલાયેલા ૧ લાખ કરોડ રૂપિયાના ૧૧૨ નેશનલ હાઈવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
NH-૪૮ પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચેના ટ્રાફિકને સુધારવા માટે, દ્વારકા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જે હવે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયો છે. આવી સ્થિતિમાં, આવતીકાલે પીએમ મોદી તેના હરિયાણા વિભાગનું ઉદ્ઘાટન કરશે.
પીએમ મોદી હરિયાણા મુલાકાત : અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન થશે
પીએમ મોદી હરિયાણા મુલાકાત દરમિયાન વડા પ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવનાર અન્ય મોટા પ્રોજેક્ટ્સમાં દિલ્હીમાં નાંગલોઈ-નજફગઢ રોડથી સેક્ટર ૨૪ દ્વારકા સુધીના ૯.૬ કિલોમીટર લાંબા સિક્સ-લેન અર્બન એક્સટેન્શન રોડ-II (UER-II) – પેકેજ ૩ નો સમાવેશ થાય છે. આ સિવાય ઉત્તર પ્રદેશમાં લગભગ ૪,૬૦૦ કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત લખનૌ રિંગ રોડના ત્રણ પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે.
આ ઉપરાંત NH૧૬ પ્રોજેક્ટનો આનંદપુરમપેંદુર્થી-અનાકપલ્લે વિભાગ આંધ્ર પ્રદેશમાં લગભગ રૂ. ૨,૯૫૦ કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યો હતો. હિમાચલ પ્રદેશમાં NH-૨૧ ના કિરાતપુરથી નેરચોક સેક્શન આશરે રૂ. ૩,૪૦૦ કરોડ (૨ પેકેજ)ના ખર્ચે; આમાં કર્ણાટકમાં રૂ. ૨,૭૫૦ કરોડના ડોબાસપેટ-હેસ્કોટ વિભાગ (બે પેકેજો) અને વિવિધ રાજ્યોમાં રૂ. ૨૦,૫૦૦ કરોડના મૂલ્યના ૪૨ અન્ય પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.