અમદાવાદઃ અમદાવાદની ગુફામાં ચિત્ર પ્રદર્શનનું કરાયું ઉદ્દઘાટન

ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી અમદાવાદની ગુફામાં ચિત્ર પ્રદર્શનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી અમદાવાદની ગુફામાં ચિત્ર પ્રદર્શનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. ફાઈન આર્ટસ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ લક્ષ્મણ આર.લાપડાના કૃષ્ણ લીલા પર યોજાયેલા પ્રદર્શનમાં 55 થી વધુ ચિત્ર પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા. પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ ભાગ્યેશ જહા, આર્ટિસ્ટ-ડિઝાઇનર સુરેન્દ્ર પટેલ, કવિ તેમજ ચિત્રકાર માધવ રામાનુજ સહિતના દિગ્ગજોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું..ગઈકાલથી શરૂ થયેલુ ચિત્ર પ્રદર્શન ૨૧ એપ્રિલ સુધી ચાલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *