દાડમ,બાદિયાન અને ફુદીનાનું આ ડ્રિન્ક પેટને લગતી સમસ્યામાં આપશે રાહત?

જો તમને પાચનને લગતી સમસ્યા, બ્લોટિંગ અને ડીહાઇડ્રેશન હોય તો દાડમ, ફુદીનાના પાન અને બાદિયાનને પાણીમાં નાખીને આ ડ્રિન્ક પીવું જોઈએ કે નહિ ?

Detox Drink : દાડમ,બાદિયાન અને ફુદીનાનું આ ડ્રિન્ક પેટને લગતી સમસ્યામાં આપશે રાહત? જાણો

વિકેન્ડ પર મોટાભાગના લોકો મિત્રો અને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે, આ ગેટ ટુગેધર ફૂડ વગર અધૂરું છે. આવા સમયે આપણે હેવી નાસ્તા જેમ કે, નુડલ્સ, સમોસા અને ઘણા પ્રોસેસ્ડ ફુડ ખાતા હોઈ છીએ, આ બધું ખાધા પછી ઘણાને બ્લોટિંગ અને પાચનની તકલીફ થતી હોઈ છે. પરંતુ ડાયેટિશિયન સોનિયા નારંગનો આ હેક છે જે તમારા માટે મદદગાર સાબિત થઇ શકે છે, અહીં જાણો

Stomach

પરંતુ ડાયેટિશિયન સોનિયા નારંગએ શેર કર્યું કે,” જો તમને પાચનને લગતી સમસ્યા, બ્લોટિંગ અને ડીહાઇડ્રેશન હોય તો દાડમ, ફુદીનાના પાન અને બાદિયાનને પાણીમાં નાખીને પીવાથી અસંખ્ય સ્વાસ્થ્ય ફાયદા થઇ શકે છે. દાડમ એન્ટીઑકિસડન્ટો પ્રદાન કરે છે, જ્યારે બાદિયાન પાચનમાં મદદ કરી શકે છે. ફુદીનો બ્રિથિંગ ફ્રેશ કરવામાં મદદ કરે છે અને પેટના દુખાવામાં રાહત આપે છે.આ પાણી તમને બ્લોટિંગની સમસ્યા મદદ કરશે, જ્યારે શરીરને હાઇડ્રેટ કરવામાં પણ મદદ કરશે.”

પરંતુ શું આ ઉપાય ખરેખર કામ કરે છે?

જિંદાલ નેચરક્યોર ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય ડાયટિશ્યન સુષ્મા પીએસએ જણાવ્યું હતું કે દાડમ તેમના વિશિષ્ટ ગુણોને જાણીતા છે, બાદિયાન અને ફુદીનાનું પાણી જમ્યા પછી પાચનમાં મદદ કરી શકે છે, પંગેનિકાગિન્સ દાડમમાં પુષ્કળ પ્રમાણમાં હોય છે અને બળતરા સામે લડવામાં મદદ કરે છે અને મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનથી કોષોને રક્ષણ આપે છે, તે એન્ટીઑકિસડન્ટ છે. તેમાં ફાઇબર પણ છે, જે આંતરડાના સ્વાસ્થ્યને ટેકો આપે છે અને પાચનમાં મદદ કરે છે.

આ એન્ટીઑકિસડન્ટો, ખાસ કરીને પ્યુનિકલૅજિન્સ અને ઍન્થોકયાનિન, ફ્રી રેડિકલને બે અસર કરવામાં મદદ કરે છે અને લિવર ફંક્શનને ટેકો આપે છે, જે ડિટોક્સિફિકેશન માટે જરૂરી છે.બાદિયાન ગેસ, પેટનું ફૂલવું અને અપચો ઓછો કરી શકાય છે. વધુમાં, તેમાં શિકિમિક એસિડ જેવા પદાર્થો છે, જે લીવરના કાર્ય અને ડિટોક્સિફિકેશન પ્રક્રિયાઓમાં મદદ કરી શકે છે.

ફુદીનો આંતરડાના સ્વાસ્થ્ય માટે ગુણકારી છે, સુષ્માએ સ્પષ્ટ કર્યું કે ફુદીનામાં રહેલ એન્ટીબેક્ટેરિયલ ગુણો ખતરનાક આંતરડાના બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરી શકે છે.

જ્યારે આ તણેય ઘટકોને પાણીમાં ભેળવવામાં આવે છે, ત્યારે એક ટેસ્ટી અને સ્વસ્થ પીણું બને છે. બાદિયાન પાચનમાં મદદ કરે છે, દાડમ એન્ટીઑકિસડન્ટો પ્રદાન કરે છે, અને ફુદીનામાં આંતરડાનું સ્વાસ્થ્ય સુધારે છે. જો કે ત્યાં કોઈ નક્કર પુરાવા નથી કે આ વસ્તુઓને જોડવાથી ડિટોક્સિફિકેશનમાં સુધારો થાય છે. તેમના સ્વાદ એકસાથે પાચનમાં પણ મદદ કરી શકે છે

ડૉ. મહેશ્વરી સંમત થયા અને શેર કર્યું કે આ ત્રણ ઘટકોને પાણીમાં ભેળવવાથી એક હાઇડ્રેટિંગ પીણું બને છે જે પાચનમાં સુધારો કરવામાં અને જમ્યા પછીના બ્લોટિંગ અને પેટમાં દુખાવો દૂર કરવામાં મદદ કરી શકે છે. આ ઇન્ફ્યુઝ્ડ પાણી પીવાથી હાઇડ્રેશનને પણ પ્રોત્સાહન મળી શકે છે, જે એકંદર આરોગ્ય અને સુખાકારી માટે જરૂરી છે.

દિલ્હીની હોસ્પિટલ એમ ધર્મશિલા નારાયણના ગેસ્ટ્રોએન્ટરોલોજીના વરિષ્ઠ સલાહકાર ડૉ. મહેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ”આ પાણીનો ઉપયોગ કરતા પહેલા તાજા દાડમના દાણા, બાદિયાન અને ફુદીનાના પાનને પાણી સાથે ભેળવીને રેફ્રિજરેટરમાં થોડા કલાકો મૂકી રાખો. ભારે ભોજન પછી આ ડ્રિન્ક લેવાથી પાચનની અગવડતાને દૂર કરવામાં અને એકંદર સુખાકારીને પ્રોત્સાહન આપવામાં મદદ મળી શકે છે.”

નિષ્ણાતે ધ્યાન દોર્યું કે ડિટોક્સિફિકેશનની પ્રક્રિયા મોટાભાગે યકૃત અને કિડની દ્વારા થાય છે, આમ ડિટોક્સિફિકેશન માટે પીણાં પર આધાર રાખવો પૂરતો ન હોઈ શકે, સારી રીતે સંતુલિત આહાર લેવો અને હાઇડ્રેટેડ રહેવું એ એકંદર સ્વાસ્થ્યની ચાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *