મુંબઈમાં લોકસભાની છમાંથી ત્રણ બેઠકો પર શિવસેના વિરુદ્ધ શિવસેના વચ્ચે ટક્કર

મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી ૨૦૨૪

મુંબઈની છ બેઠકો પર લોકસભાની ચૂંટણી રસાકસી ભરેલી રહેશે. જેમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી) ત્રણ બેઠકો પર સામસામે થશે. મુંબઈમાં બે સીટો પર કટ્ટર હરીફ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો થશે. જ્યારે શિવસેના (યુબીટી) અને ભાજપ એક સીટ પર આમને-સામને થશે.

અરવિંદ સાવંત વિરુદ્ધ યામિની જાધવ

મુંબઈના છ મતવિસ્તારોમાં મુંબઈ દક્ષિણ, મુંબઈ દક્ષિણ-મધ્ય, મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર-મધ્ય, મુંબઈ ઉત્તર-પૂર્વ, મુંબઈ ઉત્તર-પશ્ચિમનો સમાવેશ થાય છે. આ મહારાષ્ટ્રની ૧૩ બેઠકો છે કે જેના પર ૨૦ મેના રોજ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં મતદાન થશે. મુંબઈ દક્ષિણ, મુંબઈ દક્ષિણ-મધ્ય અને મુંબઈ ઉત્તર-પશ્ચિમમાં શિવસેના અને શિવસેના (UBT) વચ્ચે સ્પર્ધા થશે, જ્યારે મુંબઈ ઉત્તર-પૂર્વમાં ભાજપ અને શિવસેના (UBT) સામસામે હશે. મુંબઈ દક્ષિણમાં, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના વર્તમાન સાંસદ અરવિંદ સાવંતનો મુકાબલો શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના યામિની જાધવ સાથે થશે. જાધવ મુંબઈના ભાયખલા વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય છે.

અનિલ દેસાઈ વિરુદ્ધ રાહુલ શેવાળે

મુંબઈ દક્ષિણ-મધ્યમાં, શિવસેના (UBT) નેતા અનિલ દેસાઈ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના રાહુલ શેવાળે સામે ચૂંટણી લડી રહ્યા છે. દેસાઈ તાજેતરમાં સુધી રાજ્ય સભાના સભ્ય હતા, જ્યારે શેવાલે વર્તમાન લોકસભાના સાંસદ છે. મુંબઈ નોર્થ-વેસ્ટમાં ઠાકરે કેમ્પના અમોલ કીર્તિકરનો સામનો સત્તાધારી શિવસેનાના રવિન્દ્ર વાયકર સાથે થશે. વાયકર અગાઉ શિવસેના (UBT)માં હતા અને તાજેતરમાં જ શિંદે કેમ્પમાં જોડાયા છે. હાલમાં તેઓ મુંબઈના જોગેશ્વરી પૂર્વ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે. કોંગ્રેસના મુંબઈ શહેરના પ્રમુખ અને ધારાસભ્ય વર્ષા ગાયકવાડ મુંબઈ ઉત્તર-મધ્યમાં ભાજપના ઉમેદવાર જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ સામે લડશે, જ્યારે કેન્દ્રીય પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા પીયૂષ ગોયલ ઉત્તર મુંબઈમાં કોંગ્રેસના ભૂષણ પાટીલ સામે ટકરાશે. ગાયકવાડ મુંબઈના ધારાવી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે જ્યારે ગોયલ રાજ્યસભાના સભ્ય છે.

મુંબઈ નોર્થ-ઈસ્ટમાં ભાજપના મિહિર કોટેચાનો મુકાબલો શિવસેના (UBT)ના સંજય દિના પાટીલ સાથે થશે. કોટેચા મુંબઈના મુલુંડ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. ઉમેદવારી પત્ર ભર્યા બાદ ગાયકવાડ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. ગાયકવાડે કહ્યું કે ઠાકરેએ તેમને તેમના સમર્થનનું વચન આપ્યું હતું અને કહ્યું હતું કે તેમને સાંસદ તરીકે દિલ્હી મોકલવામાં આવશે.

ઠાકરે પહેલીવાર કોંગ્રેસના ઉમેદવારને મત આપશે

આ પ્રથમ વખત હશે જ્યારે ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસના ઉમેદવારને મત આપશે કારણ કે બાંદ્રામાં તેમનું નિવાસસ્થાન મુંબઈ ઉત્તર-મધ્ય મતવિસ્તારમાં આવે છે. ૨૦૧૯ સુધી મુંબઈમાં કોંગ્રેસ અને શિવસેના પરંપરાગત રીતે રાજકીય હરીફ હતા. વરિષ્ઠ પત્રકારે જણાવ્યું હતું કે, “હરીફો હોવા છતાં, બંને પક્ષોએ સત્તામાં આવવાની તેમની તકો વિશે વ્યૂહાત્મક સમજણ બનાવી છે, ખાસ કરીને તેમણે કહ્યું કે ગ્રાઉન્ડ લેવલ પર જે ચિત્ર ઉભરી રહ્યું છે તે મુજબ શિવસેના (UBT) અને કોંગ્રેસ કેડરે જમીની સ્તરે સારો તાલમેલ સ્થાપિત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *