કોંગ્રેસ અધ્યક્ષ ખડગે: જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થઈ.

'જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું...' કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી. આ દરમિયાન ખડગેએ દેશના લોકતંત્ર અને બંધારણને બચાવવા પર જોર આપ્યુ.

ખડગેએ કહ્યું કે મે મારા ૫૩ વર્ષના કરિયરમાં આવું પહેલા ક્યારેય જોયુ નથી કે આટલી પાર્ટીઓ એક સાથે મળીને ચૂંટણી લડી રહી છે. ૨૬ પાર્ટીઓ મળીને ચૂંટણી લડી રહી છે. તમે વિચારો કે લોકો સરકારથી કેટલા નારાજ છે. આ ચૂંટણી એટલા માટે મહત્વપૂર્ણ છે કે આ દેશના ભવિષ્યને બચાવનારી ચૂંટણી છે. આપણી ભવિષ્યની પેઢીને સુરક્ષિત રાખવા અને આપણા અધિકારીની રક્ષા કરનારી ચૂંટણી છે. આ ચૂંટણી સમાજના કમજોર વર્ગના અનામતની રક્ષા કરનારી ચૂંટણી છે અને આ જ અમારી ફરજ છે કેમ કે બંધારણ બચ્યુ તો આ અધિકાર બચશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *