રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગવાથી ૨૭ લોકોના મોત થયા છે. ગેમ ઝોન એનઓસી વગર ૩ વર્ષથી ચાલી રહી રહ્યું છે. સમગ્ર અગ્નિકાંડની તપાસ માટે સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી છે.

રાજકોટ માટે ૨૬ મે, ૨૦૨૪ શનિવારનો દિવસ બહુ જ ગોઝાર રહ્યો છે. રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાથી ૨૭ લોકોના કરુણ મોત થયા છે. માત્ર થોડીક જ સેકન્ડમાં સમગ્ર ગેમ ઝોન બળીને ખાક થઇ ગયુ. ગેમ ઝોનની અંદર રહેલા લોકોને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના પળે પળેના લેટેસ્ટ અપડેટ સમાચાર
SIT ૩ દિવસમાં પ્રાથમિક તપાસ રિપોર્ટ રજૂ કરશે – હર્ષસંઘવી
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દૂર્ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આ સીટ ૩ દિવસમાં પ્રાથમિક તપાસ રિપોર્ટ રજૂ કરશે. ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, અગ્નિકાંડની તપાસ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના સભ્યોને રાતોરાત રાજકોટ પહોંચીને તેમનું કામ શરૂ કરવાની સૂચના આપવામાં આવી હતી. SITની રચના કરવામાં આવી છે અને તેમાં સમાવિષ્ટ તમામ અધિકારીઓને સવારે 3 વાગ્યા સુધીમાં રાજકોટમાં રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવી છે.
રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાતના તમામ ગેમ ઝોન બંધ
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ ગુજરાતના તમામ ગેમ ઝોન બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. વડોદરાના ફાયર વિભાગના અધિકારી પાર્થ બ્રહ્મભટ્ટ કહે છે. રાજકોટ દુર્ઘટના બાદ વડોદરાના તમામ ગેમ ઝોનની તપાસ કરવામાં આવી છે. વડોદરાના તમામ ગેમ ઝોન સુરક્ષિત છે. ગુજરાત સરકારનો જ્યાં સુધી કોઇ નવો આદેશ ન આવે ત્યાં સુધી આ ગેમ ઝોન બંધ રહેશે.
રાજકોટ ગેમ ઝોન દૂર્ઘટના સ્થળ પરથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાથી ૨૭ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બાદ હવે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ઘટનાસ્થળેથી કાટમાળ હટાવવાન કામગીરી ચાલી રહી છે. રાજકોટ જિલ્લા કલેક્ટર વૈભવ જોશીએ જણાવ્યું કે, આ દૂર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોની ઓળખ માટે મૃતદેહોનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. ડીએનએ ટેસ્ટ માટેના સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. કૂલ ૨૭ મૃતકોમાં ૨ બાળક છે..
સીએમ અને ગૃહ મંત્રી રાજકોટમાં, ઘટના સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાના અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાના અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી રાજકોટ આવ્યા છે. બંને નેતાઓએ ઘટનાસ્થળે અને હોસ્પિટલની મુલાકાત લીધી છે.
રાજકોટ જિલ્લાના ગોંડલના યુવક પૃથ્વીરાજસિંહ જાડેજા, જે તેના બે મિત્રો સત્યપાલસિંહ જાડેજા અને શત્રુઘ્નસિંહ ચુડાસમા સાથે TRP ગેમિંગ ઝોનમાં આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે, આગ ગ્રાઉન્ડફ્લોરથી શરૂ થઈ હતી અને થોડી જ વારમાં પહેલા માળ સુધી ફેલાઈ ગઈ હતી. અમે બોલિંગ કરી રહ્યા હતા જ્યારે સ્ટાફના બે સભ્યો દોડી આવ્યા અને અમને કહ્યું કે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી છે અને અમારે સુરક્ષિત રીતે જીવ બચાવવો જોઈએ. થોડી જ વારમાં ગેમ ઝોનના સમગ્ર પરિસર ધુમાડાથી ભરાઈ ગયું. ત્યારબાદ સ્ટાફના માણસો ભાગી ગયા હતા. પાછલા બારણેથી ભાગવાનો પ્રયત્ન કર્યો પણ ના શક્યો. મેં બહારથી પ્રકાશનો કિરણ આવતો જોયો. તેથી, મેં ટીન શીટ ખોલી અને અમે પાંચ જણ બહાર નીકળી ગયા અને પહેલા માળેથી કૂદી પડ્યા. પૃથ્વીરાજસિંહે ઉમેર્યું કે મારા બે મિત્રો વિશે કોઇ ખબર નથી.
પૃથ્વીરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે આગ લાગી ત્યારે સ્ટ્રક્ચરના પહેલા માળે બાળકો સહિત ઓછામાં ઓછા 70 થી 80 લોકો હતા. ભોંયતળિયે કોઇ કામગીરી ચાલી રહી હતી અને ત્યાંથી આગ શરૂ થઈ.
TRP ગેમિંગ ઝોનના સ્ટાફ મેમ્બર સંતોષે જણાવ્યું હતું કે આગ શરૂ થયા પછી, તે તેની પત્ની અને તેમનો નાનો પુત્ર સુરક્ષિત છે કે કેમ તે તપાસવા માટે તેના ક્વાર્ટરમાં દોડી ગયો હતો. જ્યારે હું મારા રૂમમાં પહોંચ્યો ત્યારે મેં જોયું કે તેનો દરવાજો તૂટેલો છે, હું મારી પત્ની અને પુત્રને ભીડમાં દોઢ કલાક પછી શોધી શક્યો સંતોષે ઉમેર્યું કે, તે TRP ગેમિંગમાં છેલ્લા 3 વર્ષથી કામ કરે છે. જ્યારે આગ ફાટી નીકળી ત્યારે પેઇન્ટ બોલ ગેમિંગ વિભાગમાં હતો.
ગેમિંગ ઝોન NOC વગર કામ કરતું હતું: રાજકોટના મેયર નયના પેઢાડિયા
રાજકોટના મેયર નયના પેઢાડિયાએ જણાવ્યું હતું કે ગેમિંગ ઝોન કે જે બે માળનો ટીન શેડ હતો તેની પાસે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગનું નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) નહોતું.
“અમે તપાસ કરીશું કે આટલો મોટો ગેમ ઝોન ફાયર એનઓસી વિના કેવી રીતે કાર્યરત હતો અને અમે તેના પરિણામોના સાક્ષી છીએ. આ મુદ્દે કોઈ રાજનીતિ થવા દેવામાં આવશે નહીં. આ કોઈ નાની ઘટના નથી,” પેઢાડિયાએ શોધ અને બચાવ કામગીરીની દેખરેખ રાખવા માટે અકસ્માતના સ્થળે પહોંચ્યા પછી મીડિયાને જણાવ્યું હતું.
રાજકોટ TRP ગેમ ઝોનનો માલિક કોણ, કોની કોની અટકાયત થઈ
રાજકોટ પોલીસ કમિશ્નરના જણાવ્યા અનુસાર, જગ્યાનો માલિકનું નામ યુવરાજસિંહ છે, જેણે જગ્યા ભાડે આપી હતી. હાલમાં પોલીસે યુવરાજસિંહ સોલંકી, ગેમ ઝોન ચલાવનાર પ્રકાશ જૈન, મેનેજર નિતીન જૈન, રાહુલ રાઠોડની અટકાયત કરી. અપડેટ માહિતી અનુસાર, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ૧૦ લોકોની અટકાયત કરી છે. જાણવા મળ્યું છે કે, ૩૦-૩૫ લોકોનો સ્ટાફ હતો, તેમની યાદી બનાવી તમામની અટકાયત કરી પુછપરછ કરવામાં આવશે.