આરએસએસ વડા મોહન ભાગવતના નિવેદનના અલગ અલગ અર્થઘટન થઇ રહ્યા છે. આખરે, સંઘની આટલી નજીક રહેલા પીએમ મોદી વિશે આ પ્રકારની વાણીવિલાસ કેવી રીતે શરૂ થઈ છે ?

આરએસએસના વડા મોહન ભાગવતનું આ નિવેદન – કોઈએ ધમંડ કરવો જોઇએ નહીં કે મેં બધું જ કર્યું – તે એક નિવેદન છે જેનું ઘણા લોકો દ્વારા અલગ અલગ અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. તેમના તરફથી કોઈ નામ લેવામાં આવ્યું ન હતું, પરંતુ એવું માની શકાય છે કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો. આ વાતની પુષ્ટિ એટલા માટે પણ થઈ શકે છે કારણ કે ભાગવત બાદ સંઘના મોટા નેતા ઇન્દ્રેશ કુમારે કહ્યું હતું કે જે પાર્ટીએ ભક્તિ કરી હતી, પરંતુ તે ઘમંડી બની ગઈ હતી, તેથી તે ૨૪૧ પર અટકી ગઈ.
આરએસએસ વડા મોહન ભાગવતનું નિવેદન
ભાગવતના એ નિવેદન બાદ ઇન્દ્રેશના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું હતું કે આરએસએસ અને ભાજપ વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નથી. ભૂતકાળમાં ઘણા મતભેદો થયા છે, ઘણા મુદ્દાઓ પર જુદી જુદી વિચારધારાઓ જોવા મળી છે, પરંતુ તે ક્યારેય મતભેદોમાં ફેરવાઈ નથી. પરંતુ આ વખતે એવું તો શું થયું છે કે સંઘના મોટા મોટા નેતાઓ સામેથી આવીને ભાજપ અને તેના હાઈકમાન્ડને પડકાર ફેંકવાનું કામ કરી રહ્યા છે. એમ કહેવું જોઈએ કે તેઓ સતત અરીસો બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મોહન ભાગવતએ કહે છે, સાચો સેવક મર્યાદાનું પાલન કરે છે. તેનામા અહંકાર ન હોવો જોઇએ કે મેં આ બધુ કર્યું છે. જે આવું ન કરે તેને જ સાચો સેવક કહી શકાય. હવે આ નિવેદન પીએમ મોદી સાથે એટલા માટે જોડવામાં આવી રહ્યું છે કારણ કે તાજેતરની લોકસબા ચૂંટણીમાં બધુ જ મોદી કેન્દ્રિત હતું. મોદીના પરિવાર થી લઈને મોદીની ગેરંટી સુધી, પ્રચારની આવી કેટલીક પદ્ધતિઓ બનાવવામાં આવી હતી જ્યાં મોદીનો ચહેરો મુદ્દાઓ કરતા મોટો હતો.
ઘણા પ્રસંગોએ પીએમ મોદીએ પોતે તમામ ભાષણોમાં તેમના નામનો ઉલ્લેખ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે મોહન ભાગવતને આનો વાંધો છે અને તેમણે સાચા સેવકની વ્યાખ્યા આપવાનું કામ કર્યું છે. રસપ્રદ વાત એ છે કે, જો ૧૨ વર્ષ પહેલા અટલ બિહારી વાજપેયી એ સીએમ નરેન્દ્ર મોદીને રાજ ધર્મનો પાઠ ભણાવ્યો હતો તો આ વખતે સંઘના વડા એ સન્માન અને સાચા સેવકનું જ્ઞાન આપવાનું કામ કર્યું છે. પરંતુ સવાલ એ જ રહે છે – આખરે, પીએમ મોદી વિશે આ પ્રકારની નિવેદનબાજી કેવી રીતે શરૂ થઈ છે, જે પોતે સંઘની આટલી નજીક રહ્યા છે?
હવે આના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ એક કારણ હિન્દુત્વ પણ માનવામાં આવે છે. છેલ્લાં દસ વર્ષમાં ભાજપે આક્રમક રીતે હિન્દુત્વની રાજનીતિને આગળ ધપાવી છે, પરંતુ તેમાં રાષ્ટ્રવાદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બધું જ પીએમ નરેન્દ્ર મોદી કેન્દ્રીત બની ગયું હોવાથી હિન્દુત્વનો બીજો વિકલ્પ પણ મોદી જ બની ગયો છે. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમને કોઇ ભૂલી શક્યું નથી, જ્યારે મુખ્ય પૂજારી સ્વરૂપે પીએમ મોદી એ જ તમામ વિધિ કરી હતી.
જાણકારોનું માનવું છે કે છેલ્લા દસ વર્ષમાં પીએમ મોદી હિન્દુત્વનું મહત્વનું કેન્દ્ર બની ગયા છે, એટલા માટે જ જોવામાં આવ્યું છે કે હિન્દુત્વ વિશે જે કથા પહેલા નાગપુરથી સેટ કરવામાં આવી હતી, તે હવે દિલ્હીમાં થઈ રહી છે. એટલું જ કહેવું પૂરતું છે કે એક સમયે આરએસએસને જ્યાં સૌથી મજબૂત માનવામાં આવતું હતું તે પીચ પર પણ હવે તેનો શ્રેય પીએમ મોદીને આપવામાં આવી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક આ બદલાયેલી પરિસ્થિતિ એ મોહન ભાગવતને મૂંઝવણમાં મૂકવાનું કામ પણ કર્યું છે.