આમ આદમી પાર્ટીએ I.N.D.I.A. માટે આપી સલાહ

അഞ്ചിടത്ത്​ സീറ്റ്​ ധാരണക്ക്​ കോൺഗ്രസ്​, ആപ് | Willingness to share seats  with Congress in five states Ch Aam Aadmi Party | Madhyamam

દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરનાર આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ગઠબંધન તોડી નાખ્યું છે. બંને પક્ષોએ દિલ્હીમાં લોક્સભની ચૂંટણી ૪:૩ ની ફોર્મ્યુલાથી લડી હતી, જેમાં આપએ ૪ અને કોંગ્રેસે ૩ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તેમ છતાં બંને પક્ષ દિલ્હીમાં એક પણ બેઠક જીતી શક્ય ન હતા. ત્યારબાદ આપએ ગઠબંધન તોડીને દિલ્હી વિધાનસભાની ચૂંટણી એકલા લડવાની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં કોંગ્રેસ પણ આપ સામે મોરચો કરતી જોવા મળી રહી છે. 

Lok Sabha Elections: Talk made between AAP-Congress, alliance made for  elections, AAP will contest on these seats in Delhi

દિલ્હીના મંત્રી અને આપ નેતા સૌરભ ભારદ્વાજે કોંગ્રેસને નમ્રતા બતાવવાની અપીલ કરી અને સલાહ આપતાં કહ્યું છે કે, ‘જો કોંગ્રેસ માત્ર ઈન્ડિયા એલાયન્સની પાર્ટીઓ વિરુદ્ધ જ મોરચો કરશે, તો ઈન્ડિયા એલાયન્સ કોઈ પણ મુદ્દે સર્વસંમતિ નહિ બનાવી શકે. તેમજ સંસદમાં કેન્દ્ર સરકાર સામેં કેવી રીતે કામ કરી શકીશું? કોંગ્રેસે ‘લક્ષ્મણ રેખા’ દોરવી જોઈએ, ખાસ કરીને એવા રાજ્યોમાં જ્યાં કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે તેવા પક્ષોની વિરુદ્ધ છે.’

Aam Aadmi Party to protest at Jantar Mantar over Manipur crisis- The Daily  Episode Network

Congress Mukt Bharat: Congress's new slogan? | India News - Times of India

દિલ્હીમાં ચાલી રહેલા જળ સંકટને લઈને કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટી વિરુદ્ધ ખુલ્લેઆમ બોલી રહી છે. કોંગ્રેસે પણ તાજેતરમાં માટલા ફોડીને પ્રદર્શન કર્યું હતું. અગાઉ, લોકસભા ચૂંટણીના પરિણામો પછી, આપના ગોપાલ રાયે કહ્યું હતું કે તેમની પાર્ટીનું કોંગ્રેસ સાથે ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી માટે છે અને સંકેત આપ્યો હતો કે આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં સત્તારૂઢ પાર્ટી એકલા હાથે લડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *