૨૫ જૂન ગણાશે હવે ‘સંવિધાન હત્યા દિવસ’.
કેન્દ્ર સરકારે ઇમરજન્સીની યાદમાં ૨૫ જૂને ‘સંવિધાન હત્યા દિવસ’ ઉજવવાની જાહેરાત કરી છે. જેને લઇને નોટીફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ પોતાની તાનાશાહી માનસિકતાને દર્શાવતાં દેશમાં ઇમરજન્સી લગાવીને ભારતીય લોકતંત્રના આત્માનું ગળું દબાવ્યું હતું. લાખો લોકોને કારણ વિના જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. ભારત સરકાર દર વર્ષે ૨૫ જૂને ‘સંવિધાન હત્યા દિવસ’ ના રૂપમાં ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ દિવસે તમામ લોકોના વિરાટ યોગદાનનું સ્મરણ કરાવશે, જેમને ૧૯૭૫ ના ઇમરજન્સી અમાનવીય દર્દ સહન કર્યું છે.
ભારતના બંધારણની કલમ ૩૫૨ હેઠળ રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાનો અધિકાર છે. વડાપ્રધાનની આગેવાની હેઠળની કેબિનેટની લેખિત ભલામણ દ્વાર પણ કટોકટી જાહેર કરવામાં આવે છે. આ અંતર્ગત નાગરિકોના તમામ મૂળભૂત અધિકારો સ્થગિત કરી દેવામાં આવે છે. જ્યારે આખા દેશમાં કે કોઈપણ રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ, વિદેશી દેશો દ્વારા હુમલો અથવા આંતરિક વહીવટી અરાજકતા કે અસ્થિરતા વગેરેની સ્થિતિ સર્જાય ત્યારે તે વિસ્તારની તમામ રાજકીય અને વહીવટી સત્તાઓ રાષ્ટ્રપતિના હાથમાં જતી રહે છે. અત્યાર સુધીમાં ભારતમાં કુલ ત્રણ વખત ૧૯૬૨, ૧૯૭૧ અને ૧૯૭૫માં કલમ ૩૫૨ હેઠળ કટોકટી લાદવામાં આવી હતી.
૧૯૭૫ કટોકટી જાહેર કરવામાં આવી હતી
નોંધનીય છે કે ૧૯૭૫માં કટોકટી લાદવાની જાહેરાત અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય બાદ કરવામાં આવી હતી. ઈન્દિરા ગાંધીની ચૂંટણીને પડકારતી અરજી પર હાઈકોર્ટે ૧૨ જૂન ૧૯૭૫ના રોજ પોતાનો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે રાયબરેલીથી તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની ચૂંટણીને રદ કરી હતી અને આગામી ૬ વર્ષ માટે ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી ઈન્દિરા ગાંધીના રાજીનામાની માંગણીઓ શરૂ થઈ અને દેશમાં વિવિધ સ્થળોએ આંદોલનો થવા લાગ્યા હતા.
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો
સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો. આ પછી કટોકટી જાહેર કરવામાં આવી હતી. રાજકીય પક્ષો ઈન્દિરા સરકાર અને કોંગ્રેસ પર પ્રહારો કરતા રહે છે અને તેને અલોકતાંત્રિક નિર્ણય ગણાવે છે. કયા સંજોગોમાં કટોકટી લાદવાની જાહેરાત કરવામાં આવી હતી અને વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ જે રીતે આ માહિતી આપી હતી તે અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ઈન્દિરા સરકારના નિર્ણયને સરમુખત્યારશાહી ગણાવીને વિવિધ સંગઠનો સામે આવ્યા અને ભારે વિરોધ શરૂ થયો હતો.