I.N.D.I.A. ગઠબંધન આવતીકાલે સંસદમાં બજેટને લઈ કરશે વિરોધ પ્રદર્શન

વિપક્ષની મીટીંગમાં લેવાયો નિર્ણય.

DH Web Desk

ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ બજેટ સામે સંસદમાં વિરોધ કરવાનો પડકાર ફેંક્યો છે.

Anshuman Sail Nehru (@AnshumanSail) / X

ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ બજેટ સામે સંસદમાં વિરોધ કરવાનો પડકાર ફેંક્યો છે. ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ૨૭ જુલાઈએ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરશે.

વિરોધ પક્ષોએ મોદી સરકારના પ્રથમ બજેટ ૩.oને ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે. આ શ્રેણીમાં બુધવારે સવારે ૧૦:૩૦ કલાકે વિપક્ષી પાર્ટીઓના ઈન્ડિયા એલાયન્સના નેતાઓ સંસદમાં વિરોધ પ્રદર્શન કરશે. ઇન્ડિયા ગઠબંધનનો આરોપ છે કે કેન્દ્રીય બજેટમાં રાજ્યોના અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે.

મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે વિપક્ષી દળોની બેઠક યોજાઈ હતી અને આ દરમિયાન તમામ નેતાઓ એકઠા થયા હતા. આ બેઠકમાં રાહુલ ગાંધી, શરદ પવાર, જયરામ રમેશ, પ્રમોદ તિવારી, સંજય સિંહ, ડેરેક ઓબ્રાયન, કલ્યાણ બેનર્જી, ટીઆર બાલુ, તિરુચી શિવા, સંતોષ કુમાર, સંજય રાઉત, મોહમ્મદ બસીર, હનુમાન બેનીવાલ સહિત ઘણા નેતાઓએ ભાગ લીધો હતો. જો કે આ બેઠકમાં સમાજવાદી પાર્ટીના કોઈ નેતાએ હાજરી આપી ન હતી.

કેન્દ્રીય બજેટથી નારાજ વિરોધ પક્ષોના તમામ મુખ્યમંત્રીઓ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરી શકે છે. તમને જણાવી દઈએ કે નીતિ આયોગની બેઠક ૨૭ જુલાઈના યોજાવાની છે. આજે યોજાયેલી ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના પક્ષો નીતિ આયોગનો બહિષ્કાર કરવાના પક્ષમાં છે. જો કે, મમતા બેનર્જી આ બેઠક માટે ૨૬ જુલાઈએ જ દિલ્હી પહોંચી રહ્યા છે.

ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં જેલમાં બંધ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઈન્ડિયા એલાયન્સના નેતાઓએ કેજરીવાલની બગડતી તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય અંગે ટૂંક સમયમાં જ ઈન્ડિયા એલાયન્સ સંયુક્ત નિવેદન બહાર પાડશે.

એમકે સ્ટાલિને શું કહ્યું ?

Mk GIF Mk Stalin Politics Tn-politics Discover Share GIFs, 60% OFF

તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને કહ્યું કે તેઓ કેન્દ્રીય બજેટમાં તમિલનાડુની અવગણનાને લઈને ૨૭ જુલાઈએ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરશે. સ્ટાલિને આરોપ લગાવ્યો કે નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરવો ઉચીત છે. કારણ કે કેન્દ્રએ તમિલનાડુની સંપૂર્ણ અવગણના કરી છે. તેમણે કહ્યું કે અમે તમિલનાડુના અધિકારો સુનિશ્ચિત કરવા માટે લોકોની કોર્ટમાં લડત ચાલુ રાખીશું. મહત્વની વાત એ છે કે કેન્દ્રીય બજેટના વિરોધમાં બુધવારે દિલ્હીમાં ડીએમકેના સાંસદો વિરોધ પ્રદર્શન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *