સોશિયલ મીડિયાના વિડીયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે શ્રાવણ મહિનામાં સૂર્ય પાચનક્રિયામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. પરંતુ શું તે ખરેખર સાચું છે ?

સોશિયલ મીડિયા પર દરરોજ કંઈક નવું ટ્રેન્ડ થતું હોય છે, ફૂડથી ફિટનેસ ઉપરાંત હેલ્થ અને ડાયટને લગતું કન્ટેન્ટ ઘણા લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. તાજતેરમાં લેખક અશોકએ સોશિયલ મીડિયાના એક વાયરલ વીડિયોને ચેલેંજ કર્યો હતો, આ વિડીયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે શ્રાવણ મહિનામાં સૂર્ય પાચનક્રિયામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. શ્રદ્ધા કૃષ્ણ કુમાર અત્રી દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં તે સૂચવે છે કે આ સમયગાળા દરમિયાન સૂર્યની સ્થિતિના આધારે ખાવાની આદતોમાં ફેરફાર કરવો જોઈએ.
પરંતુ લેખક અશોકે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરીને આ દાવાઓને નિંદા કરતા ઉલ્લેખ કર્યો હતો કે ‘તમારા રૂટિનને ‘વિજ્ઞાન’ સાથે રિકવર કરવામાં આવે તે જટિલ છે. કનિક્કા મલ્હોત્રા, કન્સલ્ટન્ટ ડાયટિશિયન અને પ્રમાણિત ડાયાબિટીસ એજ્યુકેટર આવી ખોટી માહિતીનીને સમજવા પર પ્રકાશ પડે છે. શા માટે આ દાવાઓ માત્ર વૈજ્ઞાનિક રીતે પાયાવિહોણા જ નથી પણ સંભવિત રીતે હાનિકારક પણ છે.
પરંપરાગત માન્યતાઓની ચર્ચા કરતી વખતે સાંસ્કૃતિક સંદર્ભને સમજવો મહત્વ
મલ્હોત્રા કહે છે કે પરંપરાઓની ચર્ચા કરતી વખતે સાંસ્કૃતિક સંદર્ભને સમજવો જરૂરી છે. તે ખોટા અર્થઘટનને અટકાવે છે, જેમ કે ‘શ્રાવણ મહિનામાં ડાયટના કંટ્રોલ પાચનને અસર કરે છે. ‘ જે માન્યતા છે પણ તેના બદલે ભગવાન શિવની ભકિત અને ઘણી માહિતીથી ઓળખવાથી હિંદુ માન્યતાઓ પ્રત્યે આદર વધે છે.’
તે ઉમેરે છે, ખોટી માહિતીના ગંભીર પરિણામો આવી શકે છે. પરંપરાઓ તેનો અર્થ ગુમાવી શકે છે, સ્ટીરિયોટાઇપ્સ રચી શકે છે, અને સમુદાયો વિખવાદનો સામનો કરી શકે છે. પરંપરાઓ પાછળના ‘શા માટે’ની પ્રશંસા કરીને, આપણે સમજણ, આદર અને સાંસ્કૃતિક સંવાદિતાને પ્રોત્સાહન આપીએ છીએ.
અને સૂર્ય પાચન પર સીધી અસર કરતો નથી. પરંતુ તે વરસાદની મોસમના કારણે અસર કરે છે. જ્યારે પરંપરાગત માન્યતાઓ બંનેને જોડતી હોઈ શકે છે ત્યારે વૈજ્ઞાનિક રીતે પાચન એ એક જટિલ પ્રક્રિયા છે જે તમારા આંતરડાના સ્વાસ્થ્ય, આહારની પસંદગીઓ અને એકંદર સુખાકારી દ્વારા સંચાલિત થાય છે.
જોકે વરસાદની મોસમ પાચનને પરોક્ષ રીતે અસર કરી શકે છે. ભેજવાળું હવામાન તમારા પાચનતંત્રને સ્લો કરી શકે છે, જે પેટનું ફૂલવું, ગેસ અને અપચો તરફ દોરી જાય છે. તેથી જ કેટલીક સંસ્કૃતિઓમાં આ સમય દરમિયાન ડાયટમાં ફેરફારની ભલામણ કરે છે, જે સરળતાથી સુપાચ્ય ખોરાક અને યોગ્ય હાઇડ્રેશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
જૂની માન્યતાઓ અને સાયન્સ બંનેની ધારણાઓ પર પ્રભાવ અને દાવાઓ જેમ કે શ્રાવણ માસ દરમિયાન સૂર્ય પાચનને નિયંત્રિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે, તે બેધારી તલવાર હોઈ શકે છે, જે પરંપરાગત પ્રથાઓ અને વૈજ્ઞાનિક સમજ બંનેને નુકસાન પહોંચાડે છે.
મલ્હોત્રા ભારપૂર્વક કહે છે ‘આવી માહિતી વૈજ્ઞાનિક ખ્યાલોના દુરુપયોગથી વિજ્ઞાન પણ કલંકિત થાય છે. લોકોના વિશ્વાસને ખતમ કરે છે અને કાલ્પનિકથી હકીકતને અલગ પાડવાનું મુશ્કેલ બનાવે છે અને ખોટી માહિતીના ફેલાવાને પ્રોત્સાહન મળે છે.’
વૈજ્ઞાનિક ખ્યાલો સાથે સાંસ્કૃતિક માન્યતાઓને મિશ્રિત કરતા દાવાઓનું મૂલ્યાંકન કરતી વખતે જટિલ વિચારસરણી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મલ્હોત્રા ઉલ્લેખ કરે છે ‘ક્રિટિકલ થિંકિંગ તમને સાંસ્કૃતિક માન્યતાને વૈજ્ઞાનિક દાવાથી અલગ કરવાની મંજૂરી આપે છે. તે તમને વૈજ્ઞાનિક પુરાવાઓનું મૂલ્યાંકન કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે.
શ્રાવણ મહિનામાં ધ્યાન, ભક્તિ અને ઉપવાસનું મહત્વ છે, જેમાં ડાયટમાં અમુક ખોરાકને પ્રતિબંધિત કરવામાં આવે છે. કદાચ, આ માન્યતા મોસમી ફેરફારોની સમજણ અથવા માઇન્ડફુલ આહારના મહત્વને પ્રતિબિંબિત કરે છે. આવા દાવાઓનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરવા માટે વ્યક્તિઓ માટે અહીં કેટલીકટીપ્સ છે:
પ્રતિષ્ઠિત સ્ત્રોત શોધો: કોઈ વિષય પર વૈજ્ઞાનિક અભ્યાસ કરવા અને સંશોધન માટે પ્રતિષ્ઠિત સ્ત્રોત શોધો
સ્ત્રોતને ધ્યાનમાં લો: કોન્ટેન્ટમાં કોણ દાવો કરી રહ્યું છે તે ધ્યાનમાં લો. શું તેઓ જેતે ક્ષેત્રના નિષ્ણાત છે અથવા કોઈ ચોક્કસ માન્યતા પ્રણાલીને પ્રોત્સાહન આપે છે? તે જોવું જરૂરી છે.