દિગ્ગજ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું નિધન

ભારતીય ક્રિકેટ જગતમાં શોકની લહેર.

Former Indian cricketer Anshuman Gaekwad passes away at 71 after long  battle with cancer.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટર અને ટીમ ઈન્ડિયાના કોચ રહી ચૂકેલા અંશુમાન ગાયકવાડનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેઓ બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને લંડનમાં સારવાર ચાલી રહી હતી. ૭૧ વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. 

૧૯૭૦-૮૦ના દાયકામાં તેઓ ભારતીય ક્રિકેટ ટીમમાંથી રમતા હતા અને લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ટીમ પૂર્વ દિગ્ગજ ખેલાડી કપિલ દેવ અને સંદીપ પાટિલે ગાયકવાડના પરિવારને આર્થિક મદદ કરવા માટે અપીલ કરી હતી.  જે બાદ BCCI દ્વારા ૧૫ દિવસ અગાઉ જ એક કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરવામાં આવી હતી.  

Former India captain Anshuman Gaikwad passes away at the age of 71 | ભારતના  પૂર્વ કેપ્ટન અંશુમાન ગાયકવાડનું નિધન: લાંબા સમયથી બ્લડ કેન્સરથી પીડિત હતા;  લંડનથી બરોડા ...

ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ તેમણે કોચિંગમાં પોતાનું કરિયર આગળ વધાર્યું હતું. ૧૯૯૭-૯૯ દરમિયાન તેઓ ટીમના હેડ કોચ રહ્યા હતા. આટલું જ નહીં તેમણે GSFCમાં પણ કામ કર્યું હતું. 

Indian cricket legend Aunshuman Gaekwad passes away at 71 - Sportstar

નોંધનીય છે કે જૂન ૨૦૧૮માં BCCIએ તેમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ ઍવોર્ડથી સન્માનિત કર્યા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *