શ્રીનગરમાં વડાપ્રધાન મોદીના વિપક્ષ પર પ્રહાર

વડાપ્રધાન મોદી: જમ્મુ-કાશ્મીરના યુવાનો ૩ પરિવારની વિરુદ્ધ…

PM Modi Srinagar | Narendra Modi Jammu Kashmir Srinagar Visit Update |  श्रीनगरमध्ये PM मोदी म्हणाले-: हे नवे जम्मू-कश्मीर, ज्याची प्रतीक्षा  दशकांपासून होती; याच्या ...

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ માટે પ્રથમ ચરણમાં મતદાન ગત બુધવારે યોજાયું હતું. જેમાં છેલ્લી સાત ચૂંટણીની તુલનાએ સૌથી વધુ ૬૧.૩ % મતદાન નોંધાયું હતું. હવે રાજકીય નેતાઓ બીજા ચરણની તૈયારીઓમાં જોડાઈ ગયા છે. જેના ભાગરૂપે આજે ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં રેલીને સંબોધિત કરી રહ્યા છે. જેમાં તેઓએ પક્ષના ઉમેદવારો માટે મતદાનની માગ કરતાં નિવેદન આપ્યું હતું કે, પ્રથમ વખત ભયમુક્ત માહોલમાં ચૂંટણી યોજાઈ છે. 

શ્રીનગરમાં રેલીને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ બમ્પર મતદાન માટે જનતાનો આભાર માન્યો હતો. તેમજ રાહુલ ગાંધીની ‘મોહબ્બત કી દુકાન’ના નિવેદન પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, “આ લોકોએ નફરતની દુકાનો ખોલી છે, તેઓએ સ્કૂલોમાં આગચંપી, યુવાનોને અભ્યાસથી દૂર રાખવા અને તેમના હાથમાં પથ્થરો આપ્યા હતાં.”

PM Modi Kashmir Visit Highlights: Jammu and Kashmir touching new heights of  development after abrogation of Article 370, says PM Modi in Srinagar - The  Times of India

વડાપ્રધાને કહ્યું કે, “મેં અગાઉ પણ કહ્યું હતું કે, ત્રણ પરિવારોએ કાશ્મીરને બરબાદ કરી દીધો છે અને હવે તે હેરાન છે. આ પરિવાર વિચારે છે કે, તેમની પાસે જમ્મુ-કાશ્મીરને લૂંટવાનો અધિકાર છે. પરંતુ જમ્મુ અને કાશ્મીર આ પરિવારોની પકડમાં રહેશે નહીં.” 

PM Modi Srinagar LIVE | Narendra Modi Jammu Kashmir Srinagar Visit Live  Update - Article 370 | मोदी बोले- ये नया जम्मू-कश्मीर, इसका दशकों से इंतजार  था: आज ये खुलकर सांस ले

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણમાં મહત્તમ મતદાને પથ્થરબાજી અને ભયના માહોલના હિમાયતી પક્ષોનો વિરોધ નોંધાવ્યો છે. પ્રજાને વડાપ્રધાન મોદીની સુરક્ષિત અને સમૃદ્ધ જમ્મુ-કાશ્મીરની ગેરંટી પર સંપૂર્ણ વિશ્વાસ છે. શ્રીનગરના આશીર્વાદ આપવા આવેલી પ્રજાનો વડાપ્રધાને આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *