‘ભારતીય નાગરિકો લેબનાન છોડી દે’ યુદ્ધના ભણકારા વચ્ચે ભારતીય દુતાવાસની એડવાઇઝરી

ઈઝરાયલે દક્ષિણ લેબનાન પર રોકેટ મારો કરીને યુદ્ધનો નવો મોરચો ખોલી દીધો છે, ઇઝરાયલ ટૂંક સમયમાં જમીન માર્ગે લેબનાન પર હુમલો કરે તેવી શક્યતા છે. અનેક દેશોએ લેબનાનમાં રહેતા તેમના નાગરીકોને દેશ છોડી દેવા અપીલ કરી છે. ભારત સરકાર પણ સ્થિતિ પર નજર રાખી રહી છે, ભારતે પોતાના નાગરિકોને લેબનોન છોડવાની સલાહ આપી છે, વિદેશ મંત્રાલયે ભારતીયોને લેબનાન ન જવા અપીલ કરી છે.

Israel attack: Israeli strikes kill 558 in Lebanon, Hezbollah fires 200  rockets in retaliation - India Today

મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે, બેરૂતમાં ભારતીય દૂતાવાસે બુધવારે એક ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરીને ભારતીય નાગરિકોને અત્યંત સાવધાની રાખવા વિનંતી કરી હતી અને લેબનોનની મુસાફરી ન કરવાની સલાહ આપી હતી. ટ્વિટર પરની એક પોસ્ટમાં, ભારતીય દૂતાવાસે ૧ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ જાહેર કરાયેલ તેની અગાઉની એડવાઈઝરીની પુષ્ટિ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે તાજેતરની ઘટનાઓને કારણે લેબનોનમાં પરિસ્થિતિ વધુને વધુ અસ્થિર બની રહી છે.

492 dead in Lebanon as Israel strikes Hezbollah targets in fresh offensive  - India Today

બેરુતમાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “૧ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ જાહેર કરવામાં આવેલી એક એડવાઈઝરી અને આ ક્ષેત્રમાં તાજેતરના ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ લેબનોનનો પ્રવાસ ન કરે. લેબનોનમાં પહેલેથી જ હાજર તમામ ભારતીય નાગરિકોને પણ લેબનોન છોડવાની સલાહ આપવામાં આવે છે.”

Sidhant Sibal on X: "Breaking: Indian embassy in Beirut "strongly advises"  its nationals to leave Lebanon, says a statement https://t.co/xS6kU1hv8g" /  X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *