એસ જયશંકરનું UNમાં નિવેદન: પાકિસ્તાન તેના કાર્યોનું પરિણામ ભોગવી રહ્યું છે

વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરે UNમાં કહ્યુ, પાકિસ્તાન તેના કાર્યોનું પરિણામ ભોગવી રહ્યું છે અને પાકિસ્તાનની GDPનો ઉપયોગ માત્ર કટ્ટરતા માટે થાય છે.

UNGA: Amid India-Canada row, EAM S Jaishankar says political convenience  cannot be the basis for response to terrorism - Connected to India News I  Singapore l UAE l UK l USA l

ભારતના વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરે ૨૮ સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ૭૯મી બેઠકને સંબોધિત કરી હતી. આ સંબોધન દરમિયાન એસ જયશંકરે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો અને કહ્યું કે, પાકિસ્તાન તેના કાર્યોનું પરિણામ ભોગવી રહ્યું છે અને પાકિસ્તાનની GDPનો ઉપયોગ માત્ર કટ્ટરતા માટે થાય છે.

Political convenience shouldn't determine response to extremism, terror:  Jaishankar's veiled dig at Canada in UNGA speech | India News - Times of  India

પાકિસ્તાન પર નિશાન સાધતા એસ જયશંકરે કહ્યું, દરેક પ્રકારના આતંકવાદનો વિરોધ થવો જોઈએ અને પાકિસ્તાનને ખુલ્લા પાડવું જોઈએ. પાકિસ્તાનની આતંકી નીતિ કોઈપણ કિંમતે સફળ નહીં થાય. આપણો પાડોશી દેશ પાકિસ્તાન આતંકવાદ માટે જાણીતો છે પરંતુ પાકિસ્તાન ક્યારેય સફળ થશે નહીં. શાંતિ અને વિકાસ સાથે ચાલે છે.

India-Pakistan ties – need for engagement - Editorials - Business Recorder

ગઈ કાલે આ જ મંચ પરથી કેટલીક વિચિત્ર વાતો સાંભળી. હું ભારતની સ્થિતિ ખૂબ સ્પષ્ટ કરવા માંગુ છું, સરહદ પારના આતંકવાદની પાકિસ્તાનની નીતિ ક્યારેય સફળ થશે નહીં અને તેને સજા વિના જવાની કોઈ આશા હોવી જોઈએ નહીં. તેનાથી વિપરીત ક્રિયાઓ ચોક્કસપણે પરિણામ લાવશે. પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા ભારતીય વિસ્તારને ખાલી કરવાનો એકમાત્ર મુદ્દો અમારી વચ્ચે ઉકેલવાનો છે.

We must continue to believe in the power of diplomacy,' India says in UN  speech | UN News

એસ. જયશંકરે કહ્યું,’અમે ૭૯મી યુએનજીએની થીમ ‘કોઈને પાછળ નહીં છોડવું’ નું મજબૂત સમર્થન કરીએ છીએ. અમે બધા મુશ્કેલ સમયમાં અહીં ભેગા થયા છીએ. વિશ્વ હજી પણ કોવિડ રોગચાળાના વિનાશમાંથી બહાર આવ્યું નથી. રશિયા-યુક્રેન યુદ્ધ ત્રીજા વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે અને ગાઝામાં સંઘર્ષ વધુ વ્યાપક બન્યો છે. આ એક એવો યુગ છે જ્યાં સમાધાન કરવું વધુ મુશ્કેલ બની ગયું છે. હાલમાં આપણે શાંતિ અને સમૃદ્ધિ બંનેને સમાન રીતે જોખમમાં જોઈ રહ્યા છીએ કારણ કે વિશ્વાસ હવે તૂટી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *