જમ્મુ-કાશ્મીરમાંથી પાંચ વર્ષ બાદ હટાવ્યું રાષ્ટ્રપતિ શાસન

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી બાદ હવે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે રવિવારે રાત્રે જમ્મુ-કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી દીધું હતું.

Gujarati News, Breaking News in Gujarati, ગુજરાતી ન્યૂઝ, ગુજરાતીમાં ટોપ  હેડલાઈન્સ, ABP Gujarati - ABP Asmita

રવિવારે મોડી રાત્રે જમ્મુ-કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવામાં આવ્યું હતું, જેનાથી કેન્દ્રશાસિત પ્રદેશમાં નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થયો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે.

Integration Of J&K With India Is Now Full And Final | Lawsisto Article News

ગૃહ મંત્રાલયે આ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગે ૩૧ ઓક્ટોબર, ૨૦૧૯ ના તેના અગાઉના આદેશને રદ કર્યો હતો અને નવો આદેશ બહાર પડ્યો હતો. આ આદેશના અમલ સાથે જ ઓમર અબ્દુલ્લાની આગેવાની હેઠળની નવી સરકારને આ અઠવાડિયામાં શપથ લેવાની સત્તાવાર મંજૂરી મળી ગઈ છે.

President's rule revoked in J&K after almost 6 years, stage set for Omar  Abdullah's government | India News - Times of India

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેના આદેશમાં કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશના સંદર્ભમાં ૩૧ ઓક્ટોબર, ૨૦૧૯ ના રોજનો આદેશ જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, ૨૦૧૯ની કલમ ૫૪ હેઠળ મુખ્યમંત્રીની નિમણૂક પહેલા તરત જ રદ કરવામાં આવશે. . હવે આવી સ્થિતિમાં નવી સરકારના શપથ ગ્રહણ માટેનો રસ્તો સાફ થઈ ગયો છે.

Jammu and Kashmir: President's rule revoked, clearing path for government  formation - India News | The Financial Express

નવી સરકાર ૧૬ ઓક્ટોબરે શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે. નેશનલ કોન્ફરન્સે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. ૯૦ સભ્યોની વિધાનસભામાં નેશનલ કોન્ફરન્સે ૪૨ અને કોંગ્રેસે ૬ બેઠકો જીતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *