ગુજરાતમાં મધરાત્રે કચ્છમાં ભૂકંપના આંચકા

ગુજરાતના કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. માહિતી અનુસાર આ ભૂકંપના આંચકા મધરાત્રે લગભગ ૦૩:૦૦ વાગ્યે અને ૫૪ મિનિટે અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪ બતાવાઈ છે. જેના લીધે અફરા-તફરી મચી ગઇ હતી અને લોકો ઊંઘમાંથી ઊઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા. 

ગુજરાતમાં મધરાત્રે કચ્છમાં ભૂકંપના આંચકાથી અફરા-તફરી મચી, જાણો કેટલી હતી તીવ્રતા? 1 - image

માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છના ખાવડાથી લગભગ ૪૭ કિ.મી. ઉત્તરપૂર્વમાં બતાવાઈ રહ્યું છે. જોકે અત્યાર સુધી આ ભૂકંપને કારણે કોઈ મોટાપાયે નુકસાન કે જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *