ભવ્યાતિભવ્ય શપથવિધિ સપન્ન.
મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો ૨૩ મી નવેમ્બરે આવ્યા બાદ ભારે અજંપાભરી સ્થિતિ બાદ આખરે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદે દેવેન્દ્ર ફડણવીસે ત્રીજીવાર શપથ લીધા હતા. મુંબઈના આઝાદ મેદાન ખાતે ખચોખચ જનમેદનીની હાજરીમાં ફડણવીસે શપથ લીધા હતા. દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત એકનાથ શિંદે અને અજિત પવારે પણ ઉપમુખ્ય પ્રધાનપદે શપથ લીધા હતા.
મોદી સહિત મહાનુભાવોના હાજરી
અહીં યોજાયેલી શપથવિધિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સરંક્ષણ પ્રધાન રાજનાથ શિંદે, રોડ રસ્તા પ્રધાન નીતિન ગડકરી, ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિતના તમામ મહાનુભાવો બિરાજમાન હતા.