અન્ના હજારે: સત્તાનું અભિમાન, દારુ અને પૈસાને લીધે કેજરીવાલનું પતન

દિલ્હીમાંથી આપની સત્તા ગયા પછી સામાજિક કાર્યકર અન્ના હજારેએ અરવિંદ કેજરીવાલ પર સત્તા અને પૈસાથી પ્રભાવિત થવાનો આક્ષેપ કર્યો હતો.

Anna Hazare condemns AAP, says didn't expect such policies from Delhi govt-  The Daily Episode Network

દિલ્હીમાં આપ સરકારની પડતી વિશે બોલતા તેમણે જણાવ્યું હતું કે, મેં કેજરીવાલને અને લોકોને હંમેશા કહ્યું છે કે રાષ્ટ્રીય ઉમેદવારનું વર્તન અને વિચાર શુદ્ધ હોવા જોઈએ તેમનું જીવન દોષરહિત અને બલિદાનથી ભરેલું હોવું જોઈએ. લોકોને કેજરીવાલની નવી પાર્ટીમાં વિશ્વાસ હતો, પરંતુ પાછળથી દિલ્હીમાં દારૂની દુકાનોની સંખ્યા વધવાને કારણે અરવિંદ કેજરીવાલની છબી ખરડાવા લાગી હતી.

Proud that one of our volunteers has become Delhi CM: Anna Hazare | Delhi  News - The Indian Express

તેઓ સમજી શક્યા નહીં કે નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરવી એ ભગવાનની પૂજા છે. તેઓ ખોટા રસ્તે ચાલ્યા ગયા હતા. પૈસો અને દારૂ અરવિંદ કેજરીવાલને ગળી ગયા. ભ્રષ્ટાચાર અને દારૂ કૌભાંડને કારણે અરવિંદ કેજરીવાલની છબી ખરડાઇ હતી. મેં તેમને પહેલેથી જ કહ્યું હતું કે જૂઠું ના બોલો અને દારૂ અને પૈસાથી દૂર રહો, પરંતુ અરવિંદે મારી વાત બિલકુલ નહીં સાંભળી અને એ પોતાનું ધાર્યું જ કરતો રહ્યો. ખરેખર સત્તાનો નશો માણસને બરબાદ કરી નાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *