પ્રજાને મળશે મોટી રાહત.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, ભારતમાં જૂન-૨૦૨૩ માં પહેલીવાર ખાદ્ય ફુગાવો પાંચ ટકા ઘટી શકે છે. ભારતમાં શાકભાજીની કિંમતો ઘટવાના કારણે ફેબ્રુઆરી-૨૦૨૫ માં એકંદર રિટેલ ફુગાવો વધુ ધીમો પડીને ચાર ટકાની નીચે પહોંચી શકે છે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, ફેબ્રુઆરીમાં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) મોંઘવારી ઘટીને ૩.૯૪ % નોંધાઈ છે, જ્યારે જાન્યુઆરીમાં-૨૦૨૫ માં ૪.૩૧ % નોંધાઈ હતી.
રિપોર્ટ મુજબ, શાકભાજી, ખાસ કરીને ડુંગળી, બટાટા અને ટામેટાની કિંમતોમાં ફરી ઘટાડો થવાના કારણે ફેબ્રુઆરી-૨૦૨૫ માં સીપીઆઈ મોંઘવારી ૩.૯૪ % સુધી ઘટવાની આશા છે. જ્યારે જાન્યુઆરીમાં તે ૪.૩૧ % નોંધાઈ હતી. આ પહેલા પણ શાકભાજી અને અન્ય ખાદ્ય ઉત્પાદનોના ભાવ ઘટવાને કારણે ડિસેમ્બર-૨૦૨૪ માં રીટેલ ફુગાવો ઘટીને ૫.૨૨ % થયો હતો.
રિટેલ ફુગાવાનો મુખ્ય કમ્પોનેન્ટ ખાદ્ય ફુગાવો છે, જે ફેબ્રુઆરી ૨૦૨૫ માં ઘટીને ૪.૬૬ % થવાનો અંદાજ છે. આ એક મોટો ઘટાડો હશે. જૂન ૨૦૨૩ પછી આ પ્રથમ વખત છે, જ્યારે ખાદ્ય ફુગાવો ૫ % ના સ્તરથી નીચે ગયો છે. ખાદ્ય ફુગાવો સતત ચોથા મહિને નેગેટિવ ઝોનમાં રહ્યું છે, કારણ કે તે સમયે એટલે કે શિયાળાની ઋતુમાં શાકભાજીની કિંમતોમાં ઘડાડો થતો હોય છે.
રિપોર્ટ મુજબ ખરીફ ઉત્પાદન મજબૂત થયું છે તેમજ શિયાળામાં શાકભાજીની કિંમતો ઘટી છે, જેના કારણે આ બંને પરિબળોએ ખાદ્ય મોંઘવારી ઘટાડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. જોકે આ દરમિયાન ખાદ્ય તેલો અને ખાંડની કિંમતોમાં વધારો થયો છે.