યાત્રા ૩ જુલાઈથી શરૂ થશે અને ૯ ઓગસ્ટ સુધી ચાલશે
અમરનાથ યાત્રા દર વર્ષે ઉનાળામાં થાય છે અને તેનો ઇતિહાસ ઘણો જૂનો છે. સરકારે ૧૪ એપ્રિલથી એટલે કે સોમવારથી જ વર્ષ ૨૦૨૫ ની અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ કરી દીધું હતું. પ્રતિ વર્ષ હજારો યાત્રિકો તેમાં જોડાય છે .
આ વર્ષે અમરનાથ યાત્રા ૩ જુલાઈથી શરૂ થશે અને ૯ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ વખતે, ભક્તોને પૂરા ૩૯ દિવસ સુધી બાબા બર્ફાનીના દર્શન કરવાનો મોકો મળશે. . આ માટે રજીસ્ટ્રેશન ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે કરાવી શકાય છે.
દેશભરમાં ૫૩૩ બેંક શાખાઓ પર રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. આ માટે આધાર કાર્ડ અને મેડિકલ સર્ટિફિકેટની જરૂર પડે છે. આ વખતે, સરકાર યાત્રાળુઓને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા જઈ રહી છે, જેથી યાત્રા આરામદાયક બની શકે. સુરક્ષાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.