રાજ્ય સરકાર નાગરિકોને નવી નવી સુવિધાઓ મળે તે માટે હંમેશા અગ્રેસર રહે છે. ત્યારે ગાંધીનગર-અમદાવાદ અવરજવર કરતા લોકો માટે મેટ્રો સેવા પણ શરૂ કરવામાં આવી છે અને હજારોની સંખ્યામાં લોકો આ સેવાનો ઉપયોગ કરે છે. ત્યારે હવે જો તમે ૧૯ એપ્રિલે ગાંધીનગર-અમદાવાદ મેટ્રો સેવાનો ઉપયોગ કરવાની વિચારી રહ્યા હોય તો આ સમાચાર પહેલા વાંચી લેજો.

૧૯ એપ્રિલ શનિવારે મોટેરા અને ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો સેવા ૫ કલાક સ્થગિત રહેશે. કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી આ રૂટ પર નિરીક્ષણ કરશે જેના કારણે સવારે ૦૮:૦૦ થી બપોરે ૧૨:૩૦ સુધી રૂટ પર મેટ્રો રેલ સેવા બંધ રહેશે. નિરીક્ષણ બાદ મેટ્રો ટ્રેન વ્યવહાર બપોરે ૦૧:૦૦ વાગ્યાથી પૂર્વવત થશે.

સવારે ૦૮:૦૦ વાગ્યાથી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે

તમને જણાવી દઈએ કે ૧૯ એપ્રિલે મેટ્રો સેવા થોડોક સમય માટે બંધ રહેશે. સવારે ૦૮:૦૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી મેટ્રો સેવા બંધ રહેશે. મોટેરાથી ગાંધીનગર સેક્ટર ૧ સુધીનો મેટ્રોનો રૂટ બંધ રહેશે. મેટ્રો સેવા બંધ રાખવા પાછળનું કારણ એ છે કે આ સમય દરમિયાન મેટ્રોના ઈન્સ્પેક્શનની કામગીરી હાથ ધરાશે અને તેના કારણે રૂટ બંધ રહેશે. જો કે બપોરે ૧૨:૩૦ વાગ્યા બાદ નાગરિકો મેટ્રોનો ઉપયોગ કરી શકશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં તો મેટ્રો સેવા રાબેતા મુજબ ચાલશે. માત્ર ગાંધીનગર-અમદાવાદ મેટ્રો સેવા જ ઈન્સ્પેક્શન દરમિયાન ૪ કલાક માટે બંધ રહેશે.
