દેશમાં જુદી જુદી મોબાઈલ કંપનીઓ ફરી એક વાર રિચાર્જ પ્લાન મોંઘા કરી ૧૦ થી ૨૦ % નો વધારો કરવાની વેંતરણમાં છે.
જો આ ભાવવવધારો અમલમા આવશે તો છેલ્લા છ વર્ષમા કંપનીઓ દ્વારા આ ચોથો ભાવ વધારો હશે. ગત જુલાઇમા ખાનગી મોબાઈલ કંપનીઓ ૨૫ % નો વધારો કર્યો હતો. હાલ દેશના ૧૨૦ કરોડ મોબાઇલ યુઝર્સ છે.
એક અહેવાલ અનુસાર, ટેલિકોમ કંપનીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું રોકાણ કરી રહી છે. આ ઉપરાંત, નિયમનકારી જરૂરિયાતો લાઇસન્સ ફી સહિતના ખર્ચ પણ ટેલિકોમ કંપનીઓ પર ભંડોળનું દબાણ લાવી રહ્યો છે. તાજેતરમાં, વોડાફોન-આઈડિયાએ સરકારને તેના સ્પેક્ટ્રમ લેણાં રૂપિયા ૪૬,૯૫૦ કરોડને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવા જણાવ્યું છે. આ રીતે વોડાફોન-આઈડિયામાં સરકારનો હિસ્સો ૨૨.૬ % થી વધીને ૪૯ % થશે.
નિષ્ણાતો કહે છે કે અમે આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં ૧૦ થી ૨૦ % ના ટેરિફ વધારાની અપેક્ષા રાખીએ છીએ. આ ભાવ વધારા સાથે, ટેલિકોમ કંપનીઓ પ્રતિ યુઝર્સ તેમની સરેરાશ આવક એટલે કે ARPU વધારી શકશે. ત્યારબાદ આ ક્ષેત્રમાં આવકની દૃશ્યતા દેખાવા લાગશે. આ ભાવ વધારા પછી દેશની બે મોટી ટેલિકોમ કંપનીઓ, ભારતી એરટેલ અને રિલાયન્સ જિયોના ARPU ૨૦૨૫ અને ૨૦૨૭ ની વચ્ચે મજબૂત રીતે વધી શકે છે.
નિષ્ણાતો કહે છે કે વોડાફોન-આઈડિયાએ તાત્કાલિક તેના પ્લાનના દરો વધારવા જોઈએ જેથી ૪જી વિસ્તરણ અને ૫જી રોલઆઉટમાં વિલંબને આવરી શકાય. આ માટે કંપનીને મોટા રોકાણની જરૂર છે. ગયા વર્ષે જુલાઈમાં ભાવવધારો થયો હોવા છતાં, વોડાફોન-આઈડિયા યોગ્ય ઓપરેશનલ રિકવરી કરી શક્યું નથી. આનું મુખ્ય કારણ ગ્રાહકોની સંખ્યામાં સતત ઘટાડો અને 5G લોન્ચ કરવા માટે મોટા પાયે રોકાણ છે.