ભારતની એરસ્ટ્રાઈક તમીતમી ઉઠયા પાક પીએમ શું બોલ્યા?

શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા X પર જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાનની ધરતી પર પાંચ સ્થળોએ “કાયર હુમલા” કરવામાં આવ્યા છે. વડા પ્રધાન શરીફે લખ્યું, ‘પાકિસ્તાનને આ યુદ્ધ-પ્રેરણાદાયક કૃત્યનો કડક જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે અને તે જવાબ આપવામાં આવી રહ્યો છે.’

Prime Minister: We will expose India's ugly face to the world and expose  its intentions

Image

ભારતના એર સ્ટ્રાઇક દ્વારા પર પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફનું નિવેદન સામે આવ્યું છે. શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા X પર જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાનની ધરતી પર પાંચ સ્થળોએ “કાયર હુમલા” કરવામાં આવ્યા છે. વડા પ્રધાન શરીફે લખ્યું, ‘પાકિસ્તાનને આ યુદ્ધ-પ્રેરણાદાયક કૃત્યનો કડક જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે અને તે જવાબ આપવામાં આવી રહ્યો છે.’ તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનની સેના અને લોકો સંપૂર્ણપણે એક છે અને દેશનું મનોબળ ઊંચું છે.

Pakistan vows retaliation saying India fired missiles at five locations |  Arab News

ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી છે. ભારતે આતંકવાદ વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું છે. પાકિસ્તાનમાં ૯ સ્થળોએ હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. ભારતે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય વાયુસેનાએ પીઓકે અને પાકિસ્તાનની અંદર હવાઈ હુમલો કર્યો છે. શરૂઆતની માહિતી મુજબ ભારતીય વાયુસેનાએ આ હુમલામાં આતંકવાદી સ્થળોને નિશાન બનાવ્યા છે અને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે.

A large crowd at night.

પહેલગામમાં આતંકવાદીઓએ બૈસરન ખીણને નિશાન બનાવ્યું હતું અને આ દરમિયાન આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ૨૬ પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ હુમલા બાદ ભારતે ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ૨૨ એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે આખરે પાકિસ્તાન પર હુમલો કર્યો છે.

Pakistan confirms 3 Indian missile strikes, vows response - Rediff.com

Hindi News (हिंदी न्यूज़): Latest News in Hindi, Hindi Samachar, Breaking  News in Hindi, आज की ताजा ख़बरें - Prabhat Khabar

ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત આતંકવાદી છાવણીઓ પર ‘ઓપરેશન સિંદૂર’ નામની સચોટ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. પહેલગામ આતંકવાદી હુમલાના બદલામાં, નવ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ તે સ્થળો છે જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ કરવામાં આવી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *