ઓપરેશન સિંદૂર: આતંકવાદી મસૂદ અઝહરના પરિવારનો સફાયો

Operation Sindoor: UAE Urges Calm, Calls on India and Pakistan to Avoid Escalation

Inside story of 'Operation Sindoor', RAW gave 21 targets | 'ઓપરેશન  સિંદૂર'ની ઇન્સાઇડ સ્ટોરી, RAWએ 21 ટાર્ગેટ આપ્યા: 3જીએ પ્લાનિંગ, 5મીએ  મંજૂરી; ઓપરેશનમાં સામેલ અધિકારી 4 ...

ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના ૧૪ લોકો માર્યા ગયા હોવાના સમાચાર મળ્યા છે. તેમજ મસૂદ અઝહરનો આતંકવાદી ભાઈ રઉફ અસગર પણ ગંભીર રૂપે ઘાયલ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. મૃતકોની યાદીમાં મસૂદ અઝહરનો ભાઈ અને ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી રઉફ અસગરનો પુત્ર હુઝૈફા પણ સામેલ છે. તેમજ રુઉફ અસગરના ભાઈની પત્નીનું પણ મોત થયુ હોવાના અહેવાલો મળ્યા છે. મસૂદ અઝહરે પોતે આ મુદ્દે ખાતરી કરી છે.

Masood Azhar a 'global terrorist': Here's how he founded terror group JeM - CNBC TV18

મસૂદ અઝહરે જૈશ-એ-મોહમ્મદ તરફથી નિવેદન આપ્યું છે કે, ‘મારા પરિવારના ૧૦ લોકો આ એરસ્ટ્રાઈકમાં માર્યા ગયા છે. મારા ભાઈ, બહેન, પત્ની, પુત્ર મૃત્યુ પામ્યા છે. અન્ય ચાર લોકો પણ મૃત્યું પામ્યા છે. તેઓ અમારા અંગત લોકો હતા. આ હુમલામાં હું પણ મરી ગયો હોત તો સારૂ થાત.’

From jail to Jaish: How Azhar rewrote terror narrative

એક નિવેદનમાં જાણવા મળ્યું છે કે,’મસૂદ અઝહરની મોટી બહેનની સાથે કશફના આખા પરિવારનો સફાયો થયો છે. રઉફ અસગર પોતે અને તેના પૌત્ર-પૌત્રી, બહેન સાદિયાનો પતિ અને સૌથી મોટી દિકરીના ચાર બાળકો ઘાયલ છે. રઉફ અસગરના પુત્ર હુઝૈફા અને ભાઈની પત્નીનું મોત થયુ છે. ‘

Masood Azhar, the man who's mission is to 'destroy' India - Times of India

ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ મસૂદ અઝહરના આતંકી ઠેકાણાંઓ પર મિસાઈલ હુમલો કર્યો હતો. જેમાં બહાવલપુરમાં તેની મદરેસા, જૈશનું હેડ ક્વાર્ટર સંપૂર્ણપણે તબાહ થયુ છે. આ હુમલો ૨૨ એપ્રિલના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો. જેમાં આતંકવાદીઓએ નિર્દોષ ૨૬ લોકોના જીવ લીધા હતાં.

Tourists crying and pleading among the bodies of their relatives, shocking scenes of the Pahalgam terror attack | ઇન્ડિયન આર્મીને ટેરરિસ્ટ સમજીને પ્રવાસીઓ રડવા લાગ્યા: મહિલાએ આજીજી કરતાં ...

યુએન સિક્યોરિટી કાઉન્સિલે ૨૦૧૯ માં મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો હતો. તે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપી રહ્યો છે. અને સંગઠનનું વિસ્તરણ કરવા માટે નવી મદરેસા ખોલી રહ્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *