અધિકારીઓના જણાવ્યા અનુસાર, અટારી (અમૃતસર), હુસૈનીવાલા (ફિરોઝપુર) અને સડકી (ફાઝિલ્કા) સરહદ ચોકીઓ પર દરરોજ સાંજે યોજાતો આ સમારોહ હવે મંગળવારથી એટલે કે આજથી જાહેર જનતા માટે ફરીથી ખોલવામાં આવી રહ્યો છે.
બોર્ડર સિક્યુરિટી ફોર્સે આજથી પંજાબમાં ભારત-પાકિસ્તાન સરહદ પર સામાન્ય લોકો માટે રિટ્રીટ સેરેમની ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ઓપરેશન સિંદૂર પછી સુરક્ષા કારણોસર આ કામગીરી બંધ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અટારી (અમૃતસર), હુસૈનીવાલા (ફિરોઝપુર) અને સડકી (ફાઝિલ્કા) સરહદ ચોકીઓ પર દરરોજ સાંજે યોજાતો આ સમારોહ હવે મંગળવારથી એટલે કે આજથી જાહેર જનતા માટે ફરીથી ખોલવામાં આવી રહ્યો છે.
જોકે, આ વખતે કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. બીએસએફ અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે પરંપરાગત હાથ મિલાવવાની અને સરહદી દરવાજા ખોલવાની પ્રવૃતિ નહીં થાય..મતલબ કે ન તો હાથ મિલાવાશે કે ન તો સરહદી દરવાજા ખોલાશે.
