જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા

Amarnath Yatra 2025, Amarnath yatra by Helicopter, Booking Tour, services,  Tickets.

૨૨ મી એપ્રિલના પહલગામમાં આતંકવાદીઓએ ૨૬ નિર્દોષ લોકોની હત્યા કર્યા પછી દેશની સૌથી મોટી અમરનાથ યાત્રા જુલાઈ મહિનાથી શરુ થઈ રહી છે

Pahalgam terrorist attack update, Baisaran valley | Lashkar-e-Taiba  infiltrators attacked tourists how will India retaliate | Bhaskar English

ત્યારે યાત્રાળુઓની સુરક્ષા મુદ્દે ક્યાંય બેદરકારી રહી જાય નહીં તેના માટે સરકાર સાવધાની રાખશે.

Amarnath Yatra fitness certificate process begins in Gujarat; Cities  release hospital lists; restrictions apply for heart patients - Gujarat  News | Bhaskar English

ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીર સરકારના મુખ્ય સચિવ અને ડીજીપીને પૂરી યાત્રાની પૂરી સિક્યોરિટી માટે પેરામિલિટરી ફોર્સની ૫૮૧ કંપનીને તહેનાત કરવાનો આદેશ આપ્યો છે. આ યાત્રા પહલગામ હુમલા પછી શરુ થશે, તેથી શ્રદ્ધાળુઓ ડરનો માહોલ પણ રહી શકે છે.

2 Nights 3 Days Amarnath Yatra By Helicopter (199189),Holiday Packages to  Srinagar, Kashmir, Srinagar, Srinagar

જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ મંદિર હિંદુઓ માટે સૌથી પવિત્ર મંદિર પૈકી એક છે. નવમી ઓગસ્ટથી શરુ થનારી યાત્રાને શાંતિપૂર્ણ અને વિના કોઈ અવરોધ પૂરી કરવા માટે સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશની સુરક્ષા એજન્સીની પ્રાથમિકતા રહેશે. ગયા અઠવાડિયા દરમિયાન જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિંહાએ સુરક્ષા સમીક્ષા માટે એક મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી.

J&K LG Manoj Sinha flags off first batch of pilgrims for Amarnath Yatra-  The Daily Episode Network

આ અગાઉ ગૃહ મંત્રાલયે એક પત્ર જારી કર્યો હતો, જેમાં જમ્મુ કાશ્મીર સરકારના ચીફ સેક્રેટરી, ગૃહ વિભાગના ચીફ સેક્રેટરી અને ડીજીપીએ કહ્યું હતું કે અમરનાથ યાત્રા વખતે સીએપીએફની ૧૫૬ કંપનીને તહેનાત કરવામાં આવશે. એટલું જ નહીં, સીઆરપીએફની ૯૧ કંપની, એસએસબીની ૩૦ કંપની, સીઆઈએસએફની ૧૫ કંપની, બીએસએફની ૧૩ કંપની અને આઈટીબીપીની સાત કંપનીને તહેનાત રહેશે.

The Tribune, Chandigarh, India - Nation

ગૃહ મંત્રાલયના એક મેસેજમાં જણાવ્યું છે કે અમરનાથ યાત્રા ૨૦૨૫ સુરક્ષા વ્યવસ્થા માટે સૌથી પહેલા જમ્મુ કાશ્મીરમાં શોર્ટ ટર્મ બેસિસ પર છે. એક સીએપીએફ કંપનીમાં લગભગ ૭૦-૮૦ જવાન હોય છે. આ મુદ્દે આગળ સરકારે સ્પષ્ટ કર્યું છે ૪૨૫ સીએપીએફ કંપની સિક્યોરિટી માટે દસ જૂન સુધી જમ્મુ કાશ્મીર માટે હાજર થઈ જશે.

Amarnath Yatra Package By Helicopter by epicyatra - Issuu

ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે સીએપીએફની તમામ ૫૮૧ કંપની અમરનાથ યાત્રા પૂરી થશે ત્યાં સુધી તહેનાત રહેશે, જ્યારે યાત્રા પૂરી થયા પછી સીએપીએફની ૫૮૧ કંપનીને હટાવવામાં આવશે. જમ્મુ કાશ્મીરના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કંપનીનો ઉપયોગ અમરનાથના રસ્તાથી લઈને ગુફા સ્થિત મંદિર, રસ્તાઓ, એરિયા ડોમેનિશન અને અન્ય સિક્યોરિટી માટે કરવામાં આવશે. અમરનાથ શ્રાઈન બોર્ડના જણાવ્યાનુસાર આ વર્ષે યાત્રા ત્રીજી જુલાઈથી નવમી ઓગસ્ટ સુધી ચાલુ રહેશે, જ્યારે પ્રવાસીઓ ઓનલાઈન પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *