પટના/કાનપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું: આતંકના સાપે ફરી ફેણ ઉઠાવી તો દરમાંથી ખેંચી કચડી નાખીશું

PM Modi Unveils and Lays Foundation Stones for 15 Mega Development Projects  in Kanpur | Uday India
આતંકવાદ સામેનું ભારતનું ઓપરેશન સિંદૂર હજુ પૂર્ણ નથી થયું, આતંકી હુમલાનો આક્રામક જવાબ આપવા મક્કમ ભારત પરમાણુ બોમ્બની શેંખીથી ડરવાનો નથી. આતંકવાદની સરખામણી સાપ સાથે કરતા મોદીએ કહ્યું હતું કે જો આતંક નામના સાપે ફરી ફેણ કાઢી તો તેના દરમાંથી ખેંચીને બહાર કાઢીને તેને કચડી નાખવામાં આવશે. 
PM Modi unveils projects worth over Rs 48,520 cr in Bihar's Karakat

શુક્રવારે બિહારના કારકટમાં રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરને ના તો અટકાવાયું છે ના તો તેનો અંત આવ્યો છે. પહલગામ હુમલાના બીજા દિવસે હું બિહાર આવ્યો હતો અને મે વચન આપ્યું હતું કે અપરાધીને એવી સજા અપાશે જે તેણે સપનામાં પણ નહી વિચાર્યું હોય. મારુ વચન પાળીને હું આજે ફરી બિહાર આવ્યો છું. ભારતની પુત્રીઓના સિંદૂરની તાકાત પાકિસ્તાન અને સમગ્ર વિશ્વએ જોઇ છે. પાકિસ્તાની સૈન્યના નેજા હેઠળ આતંકીઓ બહુ જ સુરક્ષિત મહેસુસ કરી રહ્યા છે. પરંતુ અમે તેમને ઘૂંટણીએ લાવી દીધા. અમે પાકિસ્તાનના એરબેઝ અને સૈન્ય મથકોને ઉડાવી દીધા. આ નવુ ભારત છે. 

Viksit Bihar in the Making: PM Modi’s BIG Development Boost Worth Over  ₹48,000 Crore!

બિહાર ઉપરાંત ઉત્તર પ્રદેશના કાનપુરમાં ૪૭૬૦૦ કરોડના ૧૫ વિકાસ પ્રોજેક્ટના લોકાર્પણ દરમિયાન મોદીએ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પોતાના ઘાતક હથિયારોનું વિશ્વ સમક્ષ પ્રદર્શન કર્યું હતું. જેણે પાકિસ્તાનને યુદ્ધ રોકવા માટે આજીજી કરવા મજબૂર કરી દીધુ હતું. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં જે પણ પર્યટકો માર્યા ગયા હતા તેમાં કાનપુરના એક બિઝનેસમેન શુભમ દ્વિવેદીનો પણ સમાવેશ થાય છે. શુભમના પત્નીને ટાંકીને મોદીએ કહ્યું હતું કે આપણી દિકરી ઐશન્યાની પિડા, ગુસ્સો અને દુઃખને અમે મહેસુસ કરી શકીએ છીએ. ઓપરેશન સિંદૂર તરીકે સમગ્ર વિશ્વએ પણ આપણા આ જ પ્રકારના ગુસ્સાનો પરચો કર્યો છે. આ ઓપરેશન હજુ પુરુ નથી થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *