ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૨,૭૦૦ ને પાર

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એક અઠવાડિયામાં કુલ કેસની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે. માહિતી અનુસાર, દેશભરમાં ૨,૭૧૦ સક્રિય કોરોના દર્દીઓ છે. કેરળમાં સૌથી વધુ દર્દીઓ મળી આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી સંક્રમિત ૭ લોકોના મોત પણ થયા છે. 

Gurugram: Three New COVID-19 Cases Detected, Active Cases Reach 15 |  हरियाणा में कोरोना के 3 नए केस: तीनों की कोई ट्रैवल हिस्ट्री नहीं; अब तक 28  मामले आए, गुरुग्राम में सबसे

કેરળમાં ૧૧૪૭, મહારાષ્ટ્રમાં ૪૨૪, દિલ્હીમાં ૨૯૪ અને ગુજરાતમાં ૨૨૩ સક્રિય કેસ છે. કર્ણાટક અને તમિલનાડુમાં ૧૪૮ કેસ નોંધાયા છે. પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાના ૧૧૬ કેસ મળી આવ્યા છે. છેલ્લા પાંચ મહિનામાં કોરોનાને કારણે ૨૨ લોકોના મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં બે દર્દીઓના મોત થયા છે. દિલ્હી, ગુજરાત, કર્ણાટક, પંજાબ અને તમિલનાડુમાં એક-એક દર્દીનું મોત થયું છે.

Active COVID-19 cases rise to 2,390 in India; Kerala and Maharashtra lead  with new variants detected | Bhaskar English

બીજી તરફ ઓમિક્રોન LF.૭ અને NB૧.૮ ના બે પ્રકારોને કારણે કોરોનાના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. આ વખતે  દિલ્હીમાં કોરોનાથી મૃત્યુનો પહેલો કેસ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં ૫૬ નવા કોરોના દર્દીઓ નોંધાયા છે. દિલ્હીમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દી પહેલાથી જ ઘણી બીમારીઓથી પીડાતા હતા.

Five Countries, Five Experiences of the Coronavirus Pandemic | The New  Yorker

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *