વિશ્વ બ્રેઈન ટ્યુમર મગજની ગાંઠની જીવલેણ બીમારી વિશે જાગૃતિ ફેલાવવા હેતુ ઉજવાય છે. મગજની ગાંઠના લક્ષણોને સમયસર ઓળખવા જરૂરી છે જેથી સમયસર સારવાર થઈ શકે.
વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ દર વર્ષે ૮ જૂને ઉજવાય છે. બ્રેઈન ટ્યુમરના કેસ દુનિયાભરમાં ઝડપથી વધી રહ્યા છે. આ જીવલેણ રોગ પ્રત્યે લોકોને જાગૃત વધારવા માટે દર વર્ષે ૮ જૂન વર્લ્ડ બ્રેઈન ટ્યુમર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હકીકતમાં, ટ્યુમર એ અસામાન્ય કોષોનું એક જૂથ છે, જે શરીરના કોઈપણ અંગ અથવા માંસપેશીઓમાં ઉદભવી શકે છે. આ કોષો ઝડપથી ફેલાય છે, જેના કારણે ગાંઠ થાય છે. સર ગંગારામ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ અને ન્યુરોલોજિસ્ટ ડો.અંશુ રોહતગીએ બ્રેઈન ટ્યુમરના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો જણાવ્યા છે.
ડો.અંશુ રોહતગીના જણાવ્યા અનુસાર, બ્રેઈન ટ્યુમરની બીમારીમાં મગજની અંદરના અસામાન્ય કોષો કેન્સર તરીકે અથવા કેન્સર વગર વિકસિત થાય છે. બે પ્રકારની ગાંઠો હોય છે, એક Benign ટ્યુટર અને બીજું Malignant ટ્યુમર હોય છે. મગજની ગાંઠો સૌથી ગંભીર અને જીવલેણ બીમારીઓ પૈકીની એક છે, તેમ છતાં જ્યાં સુધી ગંભીર લક્ષણો ન દેખાય ત્યાં સુધી તેને ઘણીવાર નજર અંદાજ કરવામાં આવે છે, જે ઓછી સારવાર તરફ દોરી જાય છે. તેમણે કહ્યું કે, બ્રેઈન ટ્યુમર જેવી જીવલેણ બીમારીથી બચવા માટે તેના લક્ષણોને સમયસર ઓળખી કાઢવા જરૂરી છે જેથી સમયસર ઈલાજ થઈ શકે.
નવી દિલ્હીના વસંત કુંજ સ્થિત ઈન્ડિયન સ્પાઇનલ ઇન્જરી સેન્ટરના ન્યુરોસર્જરીના ડિરેક્ટર ડો.કે.કે.ચૌધરીના જણાવ્યા અનુસાર, બ્રેઈન ટ્યુમરને દૂર કરવામાં મુશ્કેલી પડે છે તેનું મુખ્ય કારણ એ છે કે તેને વધવામાં ઘણા વર્ષો લાગી શકે છે, જ્યારે કેન્સર સિવાયની ગાંઠો લાંબા સમય સુધી લક્ષણહીન રહી શકે છે. જો કે, જ્યારે લક્ષણો દેખાય છે, ત્યારે તે ખૂબ સ્પષ્ટ હોતા નથી અને સામાન્ય માથાનો દુખાવો, ચક્કર અથવા ઉબકા તરીકે અવગણવામાં આવે છે.