ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે દુનિયાના દેશો બે ભાગમાં વહેંચાયા

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને આખી દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે. ઈઝરાયલનો દાવો છે કે તેમનું આ પગલું વિશ્વના અસ્તિત્વને બચાવવા માટે છે. ઈરાન પરમાણુ હથિયાર બનાવવાની નજીક છે અને તેને રોકવું પડશે. અમેરિકા, ફ્રાન્સ, યુકે, જર્મની અને ઈટાલી જેવા દેશો ખુલ્લેઆમ ઈઝરાયલની કાર્યવાહીને સમર્થન આપી રહ્યા છે, જ્યારે ચીન, યમન અને ઈરાક તેની વિરુદ્ધમાં છે. જો કે, ભારતે આ તણાવ ઘટાડવા માટે વાતચીત અને રાજદ્વારી પ્રયાસોનો આગ્રહ કર્યો છે.

Topic | Israeli-Palestinian conflict | The Sydney Morning Herald

ભારતે ઈરાન પર તાજેતરના ઈઝરાયલી હુમલાઓની નિંદા કરતા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના  (એસસીઓ) નિવેદનને ટેકો ન આપ્યો.વિદેશ મંત્રાલય એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે ઈરાની સમકક્ષ સાથે તણાવ બાબતે ચર્ચા કરી હતી અને આ ઘટનાક્રમ પર આંતરરાષ્ટ્રીય સમુદાયની ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.

Donald Trump's anti-war vow tested as Israel attack on Iran splits MAGA base

વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના (એસસીઓ)એ ૧૩ મી જૂને ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના તાજેતરના વિકાસ પર એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં તેમણે ઈરાન પરના હુમલા માટે ઈઝરાયલની ટીકા કરી હતી. અમે આગ્રહ કરીએ છીએ કે તણાવ ઘટાડવા માટે વાતચીત અને રાજદ્વારી માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે. ભારતનું વલણ અન્ય શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્યો સુધી પહોંચાડવામાં આવ્યું છે.

Image
વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ તેમના ઈઝરાયલી અને ઈરાની સમકક્ષો સાથે આ મુદ્દા પર ચર્ચા કરી હતી. તેમણે તણાવ વધારી શકે તેવા કોઈપણ પગલા ટાળવા અને શક્ય તેટલી વહેલી તકે રાજદ્વારી વલણ અપનાવવા અપીલ કરી હતી.’ નોંધનીય છે કે,  મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ભારતે અન્ય એસસીઓ સભ્ય દેશોને તેના વલણ વિશે જાણ કરી દીધી છે અને તેથી જ ભારતે એસસીઓ સંયુક્ત નિવેદન પર ચર્ચામાં ભાગ લીધો નહોતો.
Israel Iran War Action LIVE Photos Video Update; IDF Fighter Jet Nuclear  Site | Benjamin Netanyahu Israeli Attack | Bhaskar English

૧૩ મી જૂનની રાત્રે ઈઝરાયલે ઈરાન પર મોટા હવાઈ હુમલા કર્યા હતા. જેને ‘ઓપરેશન રાઇઝિંગ લાયન’ નામ આપવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ઈરાનના પરમાણુ અને લશ્કરી ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં નતાન્ઝ જેવા સંવેદનશીલ પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે. આ હુમલાઓમાં ઘણાં ઈરાની લશ્કરી અધિકારીઓ અને વૈજ્ઞાનિકો માર્યા ગયા હતા, જ્યારે બદલામાં ઈરાને લગભગ ૨૦૦ બેલિસ્ટિક મિસાઈલો છોડીને ઈઝરાયલી લક્ષ્યો પર બદલો લીધો હતો. 

Israel Iran War Action LIVE Photos Video Update; IDF Fighter Jet Nuclear  Site | Benjamin Netanyahu Israeli Attack | Bhaskar English

ઈરાની મીડિયા અનુસાર, ઈઝરાયલી રહેણાંક વિસ્તાર પર થયેલા હુમલામાં ૬૦ લોકો માર્યા ગયા હતા, જેમાં ૨૦ બાળકોનો પણ સમાવેશ થાય છે. ઈરાને સંયુક્ત રાષ્ટ્રને ઇઝરાયલી હુમલામાં ૭૮ લોકોના મોતની પુષ્ટિ કરી હતી.

અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચાર અત્યંત દુઃખદ છે. વિશ્વ સમાચાર મૃતકોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.

*સાથે જ,  પોતાના પરિવારજનોને ગુમાવનાર પરિવારોને ભગવાન ‘ શક્તિ અને ધૈર્ય ‘ પ્રદાન કરે તેવી  ઈશ્વરને પ્રાર્થના *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *