લાફા પ્રકરણ કેસમાં ફરિયાદી સંજય વસાવાની એફઆઈઆરના આધારે દેડીયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવા સામે દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાની નર્મદા પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમના સમર્થકો મોડી રાત સુધી રાજપીપળા એલસીબી ખાતે એકઠા થાય હતાં. જેને ધ્યાનમાં રાખીને દેડીયાપાડામાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત નર્મદા પોલીસે કાયદો વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે, જો કલમ ૧૪૪ નો ભંગ કરશે તો કાયદેસરની કાર્યવાહી થશે.
નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના એટીવીટી (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરાઈ હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.


પોલીસે નર્મદા જિલ્લાના લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે અને દેડીયાપાડામાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આજે બપોર પછી ચૈતર વસાવાને દેડીયાપાડા કોર્ટ ખાતે હાજર કરી શકે છે.