ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૨૯ ડેમ હાઈએલર્ટ પર છે અને સૌરાષ્ટ્ર-કચ્છના ૧૯ ડેમ ૧૦૦ % ભરાઈ ગયા છે. જ્યારે છોટાઉદેપુર નેશનલ હાઈવે બપોરે બંધ કરવો પડ્યો હતો. એસ.ટી બસોને અસર થતા ૧૧ રૂટ બંધ કરાયા હતા અને ૩૪ ટ્રીપો કેન્સલ થઈ હતી. જ્યારે ૧ જુલાઈથી ૬ જુલાઈ સુધીમાં કુલ ૩૭૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરવામા આવ્યુ હતું.
ગુજરાતમાં હાલ વિવિધ ૩૩ જિલ્લામાં કુલ ૧૩ એનડીઆરએફ ટીમો તૈનાત છે અને ૨૦ એસડીઆરએફ ટીમો તૈનાત છે.બે એનડીઆરએફ ટીમ રીઝર્વ રખાઈ છે.ગુજરાતના માછીમારોને ૧૦ જુલાઈ સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.
ભારે વરસાદને પગલે વીજપુરવઠાને અસર થતા ૧૪૩૩૨ ગામોમાં અસર થઈ હતી અને ૨૦૨૯૨ થાંભલા અને ૧૦૭૩ ટ્રાન્સફોર્મર સેન્ટરો તથા ૨૦૧૧૧ ફીડર્સને અસર થઈ હતી. ભારે વરસાદને પગલે વડોદરા સ્ટેટ હાઈવે અને છોટાઉદેપુર નેશનલ હાઈવે બંધ કરવો પડયો હતો.’ બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધીમાં ૮ અન્ય માર્ગો અને જિલ્લા-તાલુકા-ગ્રામ પંચાયતોના ૨૪૯ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.
એસ.ટી બસોના ૧૧ રૂટ બંધ કરાયા હતા અને ૩૪ ટ્રીપો કેન્સલ થઈ હતી. હાલ રાજ્યમાં કુલ ૨૦૬ ડેમ-જળાશયોમાંથી ૨૯ ડેમ હાઈએલર્ટ પર છે અને ૧૭ એલર્ટ પર તથા ૧૭ વોર્નિંગ મોડ પર છે. કુલ ૨૦ ડેમ ૧૦૦ % ભરાયા છે. જેમાં ૧૯ સૌરાષ્ટ્ર-કચ્છના છે અને ૧ તાપીનો છે. ૪૩ ડેમ ૭૦ થી ૧૦૦ % તેમજ ૪૬ ડેમ ૨૫ થી ૫૦ % વચ્ચે અને ૪૮ ડેમ ૨૫ % થી ઓછા ભરાયા છે.