રાજ્યસભા-લોકસભામાં સરકાર ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા તૈયાર

૨૨ એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા, ત્યારબાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી હતી. અને આતંકવાદીઓના ઠેકાણાઓનોને નષ્ટ કર્યા હતા.

Parliament to hold discussion on Op Sindoor, Pahalgam attack next week

સંસદના ચોમાસુ સત્રના ત્રીજા દિવસ પણ વિપક્ષે હોબાળો કર્યો હતો.વિપક્ષી પક્ષો ઓપરેશન સિંદૂર, પહેલગામ આતંકવાદી હુમલો અને બિહારમાં ચાલી રહેલા SIR જેવા મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચાની માંગ કરી રહ્યા હતા . જોકે, સરકારે હવે પહેલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા સંમતિ આપી છે . આવતા અઠવાડિયે, સોમવારે લોકસભામાં અને મંગળવારે રાજ્યસભામાં આ મુદ્દા પર ચર્ચા થશે. વિપક્ષે એવી પણ માંગ કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સેનાની કાર્યવાહી પર સંસદમાં સંબોધન કરે.

Bihar SIR Echoes in Parliament as Govt 'Refuses' Discussion, Opposition Protests - The Wire

પીએમ મોદી આવતા અઠવાડિયે પહેલગામ આતંકવાદી હુમલા અને તે પછી શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર પર બોલશે . પીએમ મોદી ૨૯ જુલાઈએ આ વિષય પર રાજ્યસભામાં સંબોધન કરશે. ૨૨ એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા. ત્યારથી, વિપક્ષ ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે ચર્ચાની માંગ કરી રહ્યા છે. એટલુ જહીં કોંગ્રેસે પણ આ મુદ્દા પર ખાસ સત્ર બોલાવવાની માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *