ઓપરેશન સિંદૂર પર વાયુ સેના પ્રમુખે કહ્યું – S-૪૦૦ મિસાઇલ સિસ્ટમે ૫ પાકિસ્તાની જેટ તોડી પાડ્યા

ભારતીય વાયુસેના (IAF) ના વડા એર ચીફ માર્શલ એપી સિંહે એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ભારતના S-૪૦૦ મિસાઇલ સિસ્ટમે હાલમાં ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની વાયુસેનાના ૫ લડાકુ વિમાનને તોડી પાડ્યા હતા.

ઓપરેશન સિંદૂર પર વાયુ સેના પ્રમુખે કહ્યું – S-400 મિસાઇલ સિસ્ટમે 5 પાકિસ્તાની જેટ તોડી પાડ્યા

 ભારતીય વાયુસેના (IAF) ના વડા એર ચીફ માર્શલ એપી સિંહે એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ભારતના S-૪૦૦ મિસાઇલ સિસ્ટમે હાલમાં ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની વાયુસેનાના ૫ લડાકુ વિમાનને તોડી પાડ્યા હતા. આ ઉપરાંત 300 કિલોમીટરના અંતરેથી એક એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ/ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ (AEW&C/ELINT) વિમાનને પણ તોડી પાડવામાં આવ્યું હતું.

Defence Update IAF: Indian Air Force Shot Down Six Pakistani Aircraft in  Operation Sindoor

તેમણે એ પણ માહિતી આપી હતી કે વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે જેકબાબાદમાં પાર્ક કરેલા કેટલાક F-૧૬ વિમાન અને ભોલારી એર બેઝ પર એક AEW&C ને તોડી પાડવામાં આવ્યા હતા.

IAF chief calls Operation Sindoor 'national victory': 'God was with us too'  | India News - Business Standard

એર ચીફ માર્શલ એપી સિંહના જણાવ્યા અનુસાર ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન તેના હવાઈ સંરક્ષણને મજબૂત બનાવવા માટે S-૪૦૦ નો ઉપયોગ કર્યો હતો. તે રશિયા પાસેથી ખરીદેલી એક અદ્યતન સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ છે, જે ૪૦૦ કિલોમીટર સુધીના લક્ષ્યોને નષ્ટ કરી શકે છે.

Air Marshal AP Singh Takes Charge As Vice Chief of Indian Air Force |  LatestLY

૫ પાકિસ્તાની ફાઇટર વિમાનોને હવામાં તોડી પાડ્યા

આ ઓપરેશનમાં S-૪૦૦ એ શાનદાર પ્રદર્શન કર્યું અને ૫ પાકિસ્તાની ફાઇટર વિમાનોને હવામાં તોડી પાડ્યા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ૩૦૦ કિલોમીટરના અંતરેથી AEW&C/ELINT વિમાનને નિશાન બનાવવામાં આવ્યું હતું, જે આ સિસ્ટમની રેન્જ અને ચોકસાઈ દર્શાવે છે. AEW&C વિમાનનો ઉપયોગ દુશ્મન પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે થાય છે. તેથી તે નષ્ટ થવું પાકિસ્તાન માટે મોટો ઝટકો હોઈ શકે છે.

એર બેઝ પર પાર્ક કરેલા કેટલાક F-૧૬ ફાઇટર પ્લેન પણ તોડી પાડ્યા

અમેરિકામાં F-35 ફાઈટર પ્લેન ક્રેશ, પાઈલટ પેરાશૂટ લઈને કૂદ્યો, વિમાન  અગનગોળામાં ફેરવાયું | us california f35 fighter jet crashes naval base  lemoore pilot safe - Gujarat Samachar

IAF વડાએ એવો પણ દાવો કર્યો હતો કે જેકબાબાદ એર બેઝ પર પાર્ક કરેલા કેટલાક F-૧૬ ફાઇટર પ્લેન તોડી પાડ્યા હતા. આ વિમાન પાર્કિંગમાં હતા, પરંતુ ભારતીય સેનાએ સચોટ ગુપ્ત માહિતીના આધારે તેમના પર હુમલો કર્યો. તેવી જ રીતે ભોલારી એર બેઝ પર બીજા AEW&C વિમાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલાઓ દર્શાવે છે કે ભારત પાસે દુશ્મન પ્રવૃત્તિઓ વિશે સચોટ માહિતી હતી. તેનો ઉપયોગ યોગ્ય સમયે કરવામાં આવ્યો હતો.

Operation Sindoor Indian Forces Military Strikes| Pakistan, PoK | ઓપરેશન  સિંદૂર સામે પાકિસ્તાન કશું જ કરી શકશે નહીં: ભારતે આતંકી ઠેકાણાંનો ખાતમો  કર્યો, હવે, પાકિસ્તાન ...

ઓપરેશન સિંદૂર શું હતું?

પહેલગામમાં આતંકી હુમલો પછી ભારતે ઓપરેશન સિંદૂર શરુ કર્યું હતું. ઓપરેશન સિંદૂર મે ૨૦૨૫ માં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક નાની પરંતુ તીવ્ર સૈન્ય અથડામણનો એક ભાગ હતો. આ સમય દરમિયાન ભારતે તેની હવાઈ શ્રેષ્ઠતા સાબિત કરવા માટે ઘણા પગલાં લીધાં. S-૪૦૦ અને બ્રહ્મોસ મિસાઇલ જેવા શસ્ત્રોનો ઉપયોગ કરીને પાકિસ્તાનના વ્યૂહાત્મક લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઓપરેશનથી ભારતની હવાઈ રક્ષા અને સટીક હુમલાની ક્ષમતા વિશ્વ સમક્ષ આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *