પીએમ-સીએમ બિલ પર અમિત શાહના ચાબખા

દેશના રાજકારણમાં નૈતિકતાની ચર્ચા ફરી શરૂ થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જેલમાં ગયેલા નેતાઓ પદ પર રહે તે યોગ્ય નથી. કેન્દ્ર સરકારે એક એવું બિલ રજૂ કર્યું છે, જે સરકારી પદધારકો માટે કડક જોગવાઈ લાવે છે.

Amit Shah, negative publicity, social media campaign, Bharatiya Janata Party, Anti-BJP campaign, anti-bjp social media campaign, foreign correspondents, Nation news, india news

દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં કેરળ પ્રવાસ દરમિયાન એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે દેશના વડા પ્રધાન, મુખ્યમંત્રીઓ કે મંત્રીઓ જો ગંભીર ગુનાહિત આરોપોમાં જેલમાં જાય અને છતાં પદ પરથી રાજીનામું ન આપે, તો શું તે લોકશાહી અને નૈતિકતા માટે યોગ્ય છે? અમિત શાહે જણાવ્યું કે ૭૦ વર્ષ પહેલા એક ઘટના આવી હતી જેમાં ઘણા નેતાઓ જેલ ગયા હતા પરંતુ તમામે જેલમાં જતાં પહેલાં રાજીનામું આપી દીધું હતું.

मुझे नैतिकता मत सिखाइए...अमित शाह ने विपक्ष को संसद में क्यों दिया ये  चैलेंज | Criminal MPs ill Why did Amit Shah challenge the opposition in  Parliament

પરંતુ આજે એક અલગ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે જ્યાં દિલ્હી રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જેલમાં હોવા છતાં સરકાર ચલાવી રહ્યા હતા. તેમણે ખાસ કરીને અરવિંદ કેજરીવાલનો ઉલ્લેખ કર્યા વિના તેમનો ઉલ્લેખ કર્યો. આ બેકડ્રોપમાં કેન્દ્ર સરકારે લોકસભામાં એક બિલ રજૂ કર્યું છે જેમાં જાહેર પદ ધારકો માટે ખાસ જોગવાઈ રાખવામાં આવી છે. નવા બિલ અનુસાર જો વડાપ્રધાન, મુખ્યમંત્રી કે મંત્રી સામે એવા ગુનાઓમાં કેસ નોંધાય છે જેમાની સજાની જોગવાઈ પાંચ વર્ષ કે તેથી વધુ હોય અને તેઓ ૩૦ દિવસથી વધુ સમય સુધી કસ્ટડીમાં હોય, તો ધરપકડના ૩૧ મા દિવસે તેઓ આપમેળે પદ પરથી દૂર કરવામાં આવશે.

Amit Shah Latest News, Updates in Hindi | अमित शाह के समाचार और अपडेट -  AajTak

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *